પ્રથમ વખત દૂધમાં બર્ડ લૂના વાયરસની પુષ્ટ્રિ થઈ છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે એચ૫એન૧ બર્ડ ફલૂ વાયરસ સંક્રમિત પ્રાણીઓના કાચા દૂધમાં ખૂબ જ ઐંચી માત્રામાં જોવા મળ્યો છે, જો કે તે સ્પષ્ટ નથી કે દૂધમાં વાયરસ કેટલો સમય જીવી શકે છે. આ અંગે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એવિયન ઈન્ફલ્યુએન્ઝા (એચ૫એન૧) સૌપ્રથમ ૧૯૯૬ માં ઉદભવ્યો હતો પરંતુ પક્ષીઓમાં આ વાયરસ ફેલાવાની સંખ્યામાં ૨૦૨૦થી ઝડપથી વધારો થયો છે, તેની સાથે ચેપગ્રસ્ત સસ્તન પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો છે.જેના કારણે લાખો મરઘાં અને મરઘીઓ મૃત્યુ પામ્યા છે, સાથે જ જંગલી પક્ષીઓ અને જમીન અને દરિયાઈ સસ્તન પ્રાણીઓને પણ ચેપ લાગ્યો છે. ગત મહિને ગાય–બકરામાં પણ બર્ડ ફલૂ ના લક્ષણો જોવા મળ્યા હતા. નિષ્ણાતો માટે આશ્ચર્યજનક વિકાસ કારણ કે તેઓ આ પ્રકારના ઈન્ફલ્યુએન્ઝા માટે સંવેદનશીલ હોવાનું માનવામાં આવતું ન હતું. અમેરિકી અધિકારીઓએ આ મહિનાની શઆતમાં જણાવ્યું હતું કે ટેકસાસમાં ડેરી ફાર્મમાં કામ કરતો એક વ્યકિત પશુઓના સંપર્કમાં આવ્યા બાદ બર્ડ લૂ નો ચેપ લાગ્યો હતો અને તે હવે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ ઈન્ફલ્યુએન્ઝા પ્રોગ્રામના વડા વેન્કિંગ ઝાંગે જણાવ્યું હતું કે, ટેકસાસમાં આ કેસ ગાય દ્રારા એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી મનુષ્યને ચેપ લાગ્યો હોવાનો પ્રથમ કેસ છે
ચેપ ફેલાવાની લાંબી ચેનલ
પક્ષી–થી–ગાય, ગાય–થી–ગાય અને ગાય–થી–પક્ષી પ્રસારણ પણ આ વર્તમાન પ્રકોપ દરમિયાન નોંધવામાં આવ્યું છે, જે સૂચવે છે કે વાયરસને આપણે અગાઉ વિચાયુ હતું તે કરતાં ચેપના અન્ય માર્ગેા મળી શકે છે, તેમ વેન્કિંગ ઝાંગે જણાવ્યું હતું.યુનાઇટેડ સ્ટેટસમાં બર્ડ ફલૂ માટે માનવ પરીક્ષણ સકારાત્મક હોવાનો આ માત્ર બીજો કેસ હતો, અને તે દેખીતી રીતે જંગલી પક્ષીઓના સંપર્કમાં રહેલાં ટોળાંને વાયરસથી બીમાર થયા પછી આવ્યો હતો
પેરાઇઝેશનથી વાયરસ મરી જાય
ઝાંગે જણાવ્યું હતું કે, અમે હવે યુ.એસ.ના રાયોની વધતી જતી સંખ્યામાં અસરગ્રસ્ત અનેક ગાયોના ટોળા જોઈ રહ્યા છીએ, જે સસ્તન પ્રાણીઓમાં વાયરસના ફેલાવાના બીજા પગલાનું પ્રતિનિધિત્વ કરે છે.ચેપગ્રસ્ત પ્રાણીઓના દૂધમાં પણ વાયરસ જોવા મળ્યો છે. તેમણે ઉમેયુ હતું કે કાચા દૂધમાં વાયરસનું પ્રમાણ ખૂબ વધારે છે, પરંતુ નિષ્ણાતો હજુ પણ તપાસ કરી રહ્યા છે કે વાયરસ દૂધમાં કેટલો સમય જીવી શકે છે. ટેકસાસના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ચેપ પશુઓમાં વાણિિજયક દૂધના પુરવઠાની ચિંતા નથી કારણ કે બીમાર ગાયોના દૂધનો નાશ કરવા માટે ડેરીઓ જરૂરી છે કારણ કે પેશ્ચરાઇઝેશન પણ વાયરસને મારી નાખે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવેક્સિન બનાવવામાં પહેલા સલામતી ધોરણો પર ધ્યાન અપાયું : ભારત બાયોટેક
May 03, 2024 02:36 PMકોણ છે કે એલ શર્મા જેમને કોંગ્રેસે અમેઠીથી આપી ટિકિટ
May 03, 2024 02:17 PMઆજે પાકિસ્તાનીઓ પણ કહેશે 'જય શ્રી રામ', કરશે રામલલાના દર્શન
May 03, 2024 02:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech