સલમાન અને બિપાશા આજે પણ સારા ફેન છે. સલમાન હંમેશા કોઇને કોઇ વાત લઇને ચર્ચામાં રહેતો હોય છે. જો કે હાલમાં એક વીડિયો વાયરલ
થઇ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ એક્ટ્રેસ સલમાન ખાનને હનીમૂન પર લઇ જવા ઇચ્છતી હતી. જો કે એ માત્ર રમુજ માં કહેવાયેલી વાત છે.
બિપાશા બાસુ અને સલમાન ખાન વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ છે. કહેવાય છે કે બિપાશા જ્યારે-જ્યારે તકલીફમાં હતી ત્યારે ભાઇજાને એક્ટ્રેસનો સાથ આપ્યો હતો. 30 એપ્રિલ 2016 ના રોજ કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા અને કપલે નવેમ્બર 2022માં દેવીનું સ્વાગત કર્યુ હતુ. કરણ-બિપાશાના લગ્નમાં સલમાન ખાન પણ શામેલ થયા હતા. એમને હંમેશા એકસાથે ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા હતા. જો કે ફેન્સને બિપાશા અને સલમાનની જોડી હંમેશ માટે પસંદ પડતી હોય છે. બિપાશા અને કરણના લગ્નમાં હાજરી આપ્યા પછી સલમાન ખાને મીડિયા સાથે વાત કરી હતી. સલમાન ખાને મજાકમાં એના મેરેજ કન્ડિશન વિશે જવાબ આપ્યો હતો. મજાકમાં શામેલ થઇને બિપાશાએ પણ સલમાનના લગ્ન વિશે પટ્ટી પાડી હતી. બિપાશાએ જણાવ્યું કે મારી સૌથી મોટી ઇચ્છા પૂરી થઇ કારણકે સલમાન ખાન મારા લગ્નમાં શામેલ થયો હતો. મજાકમાં એક્ટ્રેસે કહ્યું કે હનીમૂન પર પણ એની સાથે જઇ રહી છે.લગ્નમાં શામેલ થઇને સલમાને બિપાશાને શુભકામનાઓ આપી હતી. એક્ટરે જણાવ્યું હતુ કે, જોડી એક સાથે બહુ સારી લાગી રહી છે, મને આશા છે કે એમના સંબંધો મજબૂત રહેશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં બિપાશા અને કરણના સંબંધો અને લગ્નની ચર્ચા થઇ રહી હતી ત્યારે એવી ચર્ચા હતી કે સલમાન ખાને 10 કરોડ રૂપિયાનો ફ્લેડ ગિફ્ટમાં કર્યો છે. બિપાશા ખુશ છે કે સલમાન એના લગ્નમાં શામેલ થયો, કારણકે એક્ટ્રેસ આને પોતાની એક મોટી ગિફ્ટ માને છે. બિપાશાએ કહ્યું હતુ કે આ બહુ ફની છે. સલમાન મને ઘર કેમ ગિફ્ટ કરશે? એ પણ 10 કરોડનું? જો કે આ એક ફની મુમેન્ટ હતી જે આજના આ દિવસોમાં ફરી વાયરલ થઇ રહી છે. આમ, સલમાન ખાન એની એક્ટિંગથી ફેન્સને ફિદા કરી દે છે. સલમાન ખાનના અનેક મુવી સુપર હિટ રહ્યા છે. જો કે સલમાનના ઘણાં બધા હટકે મુવી ઇદના દિવસે રિલીઝ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech