કલ્યાણપુર નજીક પૂરપાટ જતા છકડાની અડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

  • July 05, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા નટુભાઈ ભગવાનજીભાઈ અંકલેશ્વરીયા નામના 58 વર્ષના પ્રૌઢ ગત તારીખ 4 ના રોજ પોતાના જી.જે. 10 એ.કે. 2898 નંબરના મોટરસાયકલ પર બેસીને પોતાના ગામે પરત આવી રહ્યા હતા. ત્યારે ચાચલાણા અને દેવળીયા ગામ વચ્ચેના માર્ગે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 ટી. 6655 નંબરના છકડો રીક્ષાના ચાલક નવીનભાઈ ગોરએ પોતાનો છકડો ગફલતભરી રીતે ચલાવી અને નટુભાઈ અંકલેશ્વરીયાના મોટર સાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.


આ બનાવ અંગે પરેશભાઈ ગુમાનસંગ અંકલેશ્વરીયા (ઉ.વ. 45, રહે. રાવલ)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે છકડા રીક્ષાના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application