UPI પેમેન્ટ ચાર્જેબલ થવાનું છે, આ એક મોટો સવાલ છે. આ સવાલનો જવાબ આપતા નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે.
UPI પેમેન્ટને લઈને વારંવાર સોશિયલ મીડિયા અને બીજા માધ્યમોમાં એવી વાત વાયરલ થાય છે કે સરકાર UPI પેમેન્ટ કરવા અને રિસીવ કરવા પર દુકાનદારો પાસેથી એક્સ્ટ્રા ચાર્જ વસૂલવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ UPI પેમેન્ટ Visa કાર્ડ પેમેન્ટને પછાડીને ઓનલાઈન ચુકવણીમાં પ્રથમ સ્થાન પર આવ્યું છે.
આ વચ્ચે UPI પેમેન્ટ પર ચાર્જ લગાવવાની વાત જ્યારેથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, ત્યારથી UPI નો ઉપયોગ કરનારાઓમાં ખળભળાટ મચ્યો છે. આ વચ્ચે, નાણા મંત્રાલય તરફથી UPI પેમેન્ટ પર એક્સ્ટ્રા ચાર્જ લેવાશે કે નહીં તે અંગે જવાબ આવ્યો છે, જેના વિશે અમે તમને અહીં વિગતવાર જણાવી રહ્યા છીએ.
શું UPI પેમેન્ટ પર લાગશે એક્સ્ટ્રા ચાર્જ?
UPI પેમેન્ટ ચાર્જેબલ થવાનું છે, આ એક મોટો સવાલ છે. આ જ સવાલનો જવાબ આપતા નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે UPI પેમેન્ટ કરવા પર દુકાનદારો પર એક્સ્ટ્રા ચાર્જ લગાવવામાં આવશે? આ તમામ વાતો નિરાધાર, અફવા અને ખોટી છે. સાથે જ નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આવી અફવા ફેલાવનારા લોકો બિનજરૂરી ગભરાટ (પેનિક) પેદા કરવા માંગે છે. સાથે જ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
UPI એ Visa ને આપી ટક્કર
UPI ના જૂન મહિનાના ટ્રાન્ઝેક્શનને જોવામાં આવે તો તે Visa ના ટ્રાન્ઝેક્શન કરતાં ક્યાંય વધુ છે. જ્યાં ૧ જૂન, ૨૦૨૫ ના રોજ UPI થી ૬૪.૪ કરોડ ટ્રાન્ઝેક્શન થયા અને બીજા જ દિવસે આ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૬૫ કરોડને પાર કરી ગઈ. ત્યાં જ, ફાઇનાન્સિયલ યર ૨૪ માં Visa થી થનારા ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૬૪ કરોડ હતી. જ્યારે જૂન ૨૦૨૫ માં UPI થી થનારા શરૂઆતના ત્રણ દિવસના સરેરાશ ટ્રાન્ઝેક્શન ૬૪.૮ કરોડ રહ્યા. UPI ની આ વૃદ્ધિ પર એરપેના સંસ્થાપક કુણાલ ઝુનઝુનવાલાએ કહ્યું કે UPI દૈનિક ટ્રાન્ઝેક્શનમાં જલ્દી જ Visa થી આગળ નીકળી જવાનું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech