ઘઉંના પાકમાં રાસાયણિક ખાતર નાખતી વખતે દુ:ખાવો અને અચાનક આંચકી આવી
જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતી એક મહીલાને પોતાની વાડીમાં ઘઉંના પાકમાં રાસાયણિક ખાતર નાખતી વખતે માથામાં દુ:ખાવો ઉપડ્યા પછી એકાએક માથાની નસ ફાટી જતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતી અને ખેતી કામ કરતી ભાવિશાબેન હિતેશભાઈ કાછડીયા (ઉ.વ.૩૪) ગત તા. ૯ના રોજ વાડીમાં ઘઉંના ઉભા પાકમાં રાસાયણિક ખાતર યુરિયા નો છંટકાવ કરી રહી હતી, જે દરમિયાન તેણીને એકાએક માથામાં દુખાવો ઉપડ્યો હતો, અને પગમાં ખાલી ચડી જતાં તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં સારવાર દરમિયાન તેણીને આંચકી ઉપડી હતી, અને માથાની નસ ફાટી જતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના પતિ હિતેશભાઈ દિનેશભાઈ કાછડીયાએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ ની ટુકડી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરજદારોને ધરમના ધક્કા : રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો હેરાન
February 24, 2025 12:00 PMખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMજામનગર એસટી ડીવીઝન દ્વારા શિવરાત્રીના મેળા માટે એક્સ્ટ્રા બસ શરૂ
February 24, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech