ભાવનગર ડિવિઝનના લોકોપાયલોટે ત્રણ સિંહોના જીવ બચાવ્યા

  • September 04, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર રેલ્વે મંડળ સિંહો-વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૬૫ સિંહોના જીવ બચાવાયા છે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું  કે ૦૨ સપ્ટેમ્બર,સોમવાર રાત્રે લગભગ ૦૯ કલાકે, લોકો પાયલટ પુષ્પેન્દ્ર કુમાર સેન (મુખ્ય મથક - જેતલસર) અને સહાયક લોકો પાયલટ ઉમેશ બાબુ (મુખ્ય મથક - જેતલસર) દ્વારા કિમી. નંબર ૫૮/૮  ૫૮/૭ ગાધકડા-સાવરકુંડલા સેક્શન વચ્ચે જ્યારે ૩ સિંહો રેલ્વે પાટા ઓળંગી રહ્યા હોવાનું જોવા મળતા માલગાડી નંબર ઙઙજઙ/ખઇંઙકઉજ ને ઇમરજન્સી બ્રેક લગાવીને લગભગ ૧૦૦ મીટરના અંતરે રોકવામાં આવી હતી. અને લોકો પાયલોટ દ્વારા ગાડી મેનેજર (ગાર્ડ) અને સાવરકુંડલાના સ્ટેશન માસ્તરને વોકી-ટોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી આવ્યા અને પાટા ક્લીયર થવાનો સિગ્નલ મેળવ્યો ત્યારે લોકો પાયલટ દ્વારા માલગાડીને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી. 
જેની માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર અને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application