ભાવનગરથી અમદાવાદ માટે દોડાવવામાં આવતી ગાડી ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન આગામી છ માસ માટે આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ચાલી રહેલી કામગીરીના પગલે ટેકનિકલ કારણોસર આંશિક રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાડી નંબર ૨૦૯૬૫, ૨૦૯૬૬ ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ૧૬મી જૂનથી છ મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે.
તદનુસાર, ૧૬ જૂન, ૨૦૨૫ થી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી, ગાડી નંબર ૨૦૯૬૫, ૨૦૯૬૬ ભાવનગર સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામઅને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે અને આ ગાડીનું આગમન-પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર થશે નહીં.ગાંધીગ્રામ સ્ટેશનથી અમદાવાદમાં ગંતવ્ય સ્થાનો સુધી જવા-આવવા માટે મુસાફરોએ વધારાના નાણાનો ખર્ચ કરવો પડશે. અને સાબરમતિ સહિતના રેલવે સ્ટેશનો પરથી ઉપડતી લાંબા અંતરની ગાડીઓ પકડવા માટે પણ મુસાફરોએ પરિવહનના વિકલ્પ પસંદ કરવા પડશે. તેવી જ રીતે અમદાવાદથી ભાવનગર આવવા માટે પણ મુસાફરોએ અમદાવાદ શહેરમાં ગમે ત્યાં હોય ત્યાંથી ટ્રેન પકડવા ગાંધીગ્રામ આવવું પડશે.
આમ ભાવનગરથી અમદાવાદ માટે દોડાવવામાં આવતી ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી આગામી છ માસ માટે આંશિક રીતે રદ્દ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech