ભાવનગર સાબરમતિ ઇન્ટરસિટી છ માસ માટે આંશિક રીતે રદ

  • June 04, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરથી અમદાવાદ માટે દોડાવવામાં આવતી ગાડી ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન આગામી છ  માસ માટે આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ચાલી રહેલી કામગીરીના પગલે ટેકનિકલ કારણોસર આંશિક રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાડી નંબર  ૨૦૯૬૫, ૨૦૯૬૬ ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ૧૬મી જૂનથી છ મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે.
તદનુસાર, ૧૬ જૂન, ૨૦૨૫ થી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી, ગાડી  નંબર ૨૦૯૬૫, ૨૦૯૬૬ ભાવનગર  સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામઅને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે અને આ ગાડીનું  આગમન-પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર થશે નહીં.ગાંધીગ્રામ સ્ટેશનથી અમદાવાદમાં ગંતવ્ય સ્થાનો સુધી જવા-આવવા માટે મુસાફરોએ વધારાના નાણાનો ખર્ચ કરવો પડશે. અને સાબરમતિ સહિતના રેલવે સ્ટેશનો પરથી ઉપડતી લાંબા અંતરની ગાડીઓ  પકડવા માટે પણ મુસાફરોએ પરિવહનના વિકલ્પ પસંદ કરવા પડશે. તેવી જ રીતે અમદાવાદથી ભાવનગર આવવા માટે પણ મુસાફરોએ અમદાવાદ શહેરમાં ગમે ત્યાં હોય ત્યાંથી ટ્રેન પકડવા ગાંધીગ્રામ આવવું પડશે.
આમ ભાવનગરથી અમદાવાદ માટે દોડાવવામાં આવતી  ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી  આગામી છ  માસ માટે આંશિક રીતે રદ્દ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application