ભાટીયા રેલ્વે સ્ટેશનનું રુા. સાડા સાત કરોડના ખર્ચે થશે રીનોવેશન

  • February 27, 2024 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પી.એમ. મોદીએ વર્ચ્યુઅલી ખાતમુર્હુત કર્યું: આગેવાનો રહ્યા હાજર

ભાટીયા રેલ્વે સ્ટેશન ખાતે બારાડી વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ)ના અઘ્યક્ષસ્થાને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રોડ, ઓવરબ્રીજ, અંડર પાસ સહિતના નવનિર્માણ રીનોવેશનના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચ્યૂઅલ ઉપસ્થિત રહી વિવિધ પુન: વિકાસ કામોનું ઉદ્દઘાટન અને ખાતુમુર્હુત કર્યું હતું.
વિવિધ વિકાસકામોની શિલાન્યાસ વિધિ દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ) ના વરદ્દ હસ્તે કરવામાં આવેલ ત્યારે તેમની સાથે ભાટીયા ગામના સામાજિક ક્ષેત્રના આગેવાનો ડી.એલ. પરમાર, નિલેશભાઇ કાનાણી, કેતનભાઇ મોટલા, રેલ્વેના દિપભાઇ તેમજ ઉકાભાઇ પરમાર, સોલંકી, ઉકાભાઇ કણઝારીયા સહિતના ગામના વિવિધ ક્ષેત્રોના આગેવાનો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application