ભાટીયા ખાતે ખાણમાં કામ કરતા કર્મચારીને સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સીલીકોસીસ રોગ વિશે જાગૃતતા લાવવા કાર્યક્રમ

  • February 10, 2025 11:44 AM 

8-2-2025ના રોજ બોકસાઇટ ગ્રુપ ઓફ ભાટીયા ખાતે ડીજીએમએસ અમદાવાદ-1 વિભાગ હેઠળ ખાણમાં કામ કરતા વણકરને સીલીકોસીસ રોગ વિશે જાગૃતતા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ડીજીએમએસ અમદાવાદ-1 વિભાગના ડાયરેકટર ઓફ માઇન્સ સેફટી મનીષચંદ્ર જયસ્વાલ તથા ડે.ડાયરેકટર ઓફ માઇન્સ સેફટી ચૈતન્યમુર્તિ નક્કા, સિલીકોસીસ વિશે વિગતવાર માહિતી આપીને તેનાથી બચવાના ઉપાય વિશે ચચર્િ કરી હતી.


ઉપરાંત સૌરાષ્ટ્ર સિમેન્ટ લી. તરફથી પધારેલા ડો. મિલન વસાવડાએ સિલીકોસીસ રોગનાં લક્ષણો અને તેનાથી કઇ રીતે બચી શકાય તેના ઉપાયો વિશે ઉંડાણપુર્વક માહિતી આપીને વર્કરોને ઉજાગર કયર્િ હતા. આ કાર્યક્રમમાં બોકસાઇટ ગ્રુપ ઓફ ભાટીયાની વિવિધ કંપનીઓ જેવી કે જીએમડીસી લી. તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર પ્રો.વિવેકકુમાર સિંઘ તથા તેમનો સ્ટાફ બોમ્બે મિનરલ લી. નાં હેડ માઇનીંગ કે.કે. ચૌધરી તથા તેમનો સ્ટાફ, ઓરીએન્ટ એબ્રેસીવ્સ લી.ના હેડ માઇનીંગ ગુણાનંદ રોય અને તેનો સ્ટાફ, સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ના દેશપાંડે અને તેમનો સ્ટાફ ગોજીયા બોકસાઇટ માઇન્સમાંથી મયુરભાઇ તેમજ ભાટીયા બોકસાઇટ માઇન્સમાંથી બહોળી સંખ્યામાં કર્મચારીઓએ સીલીકોસીસ જાગૃતતા માટે કાર્યક્રમનો લાભ લીધો હતો.


કર્મચારીઓએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બહોળો પ્રતિસાદ આપ્યો હતો. તેમજ ભવિષ્યમાં પણ ડીજીએમએસ અમદાવાદ-1 વિભાગ હેઠળ ખાણમાં કામ કરતા વર્કરના સ્વાસ્થ્ય તથા સુરક્ષા માટે આવા કાર્યક્રમનું આયોજન થતુ રહે તેવી આશા વ્યકત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application