કોરોના મહામારી દરમિયાન ભારતે વિશ્વભરના દેશોને મદદ કરી. ભારતે ગરીબ દેશોમાં માત્ર કોવિડની રસી જ નથી મોકલી પરંતુ ખાધપદાર્થેા મોકલીને રોગચાળા સામે લડવામાં મદદ કરી છે. હવે ફરી એકવાર ભારત વિશ્વની આશા બની શકે છે. ભારતની સીરમ ઇન્સ્િટટૂટ આફ ઇન્ડિયા (એસઆઈઆઈ) એ જણાવ્યું હતું કે તે હાલમાં મંકીપોકસની રસી બનાવવા પર કામ કરી રહી છે.
મંકીપોકસ નજીકના સંપર્ક દ્રારા ફેલાય છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ વાયરસના નવા પ્રકારની ઓળખ બાદ ૧૪ ઓગસ્ટના રોજ આ રોગના તાજેતરના ફાટી નીકળ્યાને આંતરરાષ્ટ્ર્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી.
આફ્રિકાના કેટલાક ભાગોમાં કેસોમાં અચાનક વધારો નોંધાયા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. ભારતમાં, ૨૦૨૨ થી લગભગ ૩૦ એમપોકસ કેસ મળી આવ્યા છે. દેશમાં સૌથી તાજેતરનો કેસ માર્ચ ૨૦૨૪માં નોંધાયો હતો. કેસોમાં તાજેતરના વધારાને ધ્યાનમાં રાખીને, સીરમ સંસ્થાએ કહ્યું કે તે તેના માટે એક રસી બનાવી રહી છે અને એક વર્ષમાં પોઝીટીવ રીઝલ્ટ મળવાની અપેક્ષા છે.
સીરમ ઈન્સ્ટીટુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મંકીપોકસ ફાટી નીકળવાના કારણે જાહેર કરાયેલી વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને, સીરમ ઈન્સ્િટટૂટ ઓફ ઈન્ડિયા હાલમાં જોખમ ધરાવતા લોકોને બચાવવા માટે આ રોગની રસી વિકસાવવા પર કામ કરી રહી છે. લાખો લોકોના જીવ બચાવી શકાય છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે એક વર્ષમાં કેટલાક સારા અને સકારાત્મક પરિણામો જોવા મળશે.
પુણેનું મુખ્યાલય સીરમ ઈન્સ્િટટૂટ ઓફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી વેકસીન બનાવતી કંપની છે. કંપની દર વર્ષે ૩.૫ અબજ ડોઝનું ઉત્પાદન કરે છે. કોવિડ રોગચાળા દરમિયાન સીરમ રસીઓએ લાખો લોકોના જીવન બચાવ્યા. તેણે માત્ર ભારતને રસી સપ્લાય કરી નથી પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ રસીનું વિતરણ કયુ છે.
વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્રારા મંકી પોકસને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કર્યા પછી, ભારતમાં સતાની સ્થિતિ અને સંબંધિત જાહેર આરોગ્ય પગલાંની સમીક્ષા કરવા માટે રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મીટિંગની અધ્યક્ષતામાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર પીકે મિશ્રાએ જણાવ્યું હતું કે દેશમાં મંકી પોકસનો કોઈ કેસ નોંધાયો નથી અને વર્તમાન પરિસ્થિતિ મુજબ, તેના વ્યાપક ફેલાવાનું જોખમ ઓછું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી એમપીઓકસની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech