ઘોઘા સર્કલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

  • December 04, 2023 03:16 PM 

'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' રથ ભાવનગર શહેરના ઘોઘા સર્કલ- અકવાડા વોર્ડ ખાતે આવી પહોંચતા બાળાઓએ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. મહાનુભાવોના હસ્તે ઉજ્જવલા યોજના, અન્નપૂર્ણા યોજના સહિત વિવિધ યોજનાના ભાર્થીઓને લાભ આપી લાભાન્વિત કરાયાં હતાં. 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' દરમિયાન PMJAY કાર્ડ, આભાકાર્ડ કઢાવવાની સાથે લાભાર્થીઓએ ટી.બી તપાસ કરાવી હતી. કાર્યક્રમમાં લોકોએ પ્રધાનમંત્રીશ્રીનો વિડિઓ સંદેશ નિહાળ્યો હતો. ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.  

આ કાર્યક્રમમાં મેયરભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, આગેવાન અભયભાઈ ચૌહાણ, કોર્પોરેટર, કમિશનર એન. વી. ઉપાધ્યાય નાયબ કમિશનર મનિષાબેન બ્રહ્મભટ્ટ સહિતના ઉપસ્થિત રહેલ હતા. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application