ઇઝરાયેલ હમાસ અને હિઝબુલ્લા સાથે એકલા હાથે યુદ્ધ લડી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત થયા છે. દરમિયાન, એવા સમાચાર છે કે ઇઝરાયેલ હિઝબોલ્લાહ સાથેના યુદ્ધમાં યુદ્ધવિરામ તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ હજુ પણ કેટલાક મુદ્દાઓ ઉકેલવાના બાકી છે. એક અહેવાલ અનુસાર, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહએ લેબનીઝ જૂથ હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામને મંજૂરી આપી દીધી છે. જોકે, કેટલીક વિગતો એવી છે કે જેના પર ઈઝરાયેલને વાંધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમજૂતીના કેટલાક મુદ્દાઓને લઈને વાતચીત ચાલી રહી છે. યાં સુધી તેનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેને અંતિમ ગણવામાં આવશે નહીં. જોકે, લેબનીઝ અધિકારીઓનું કહેવું છે કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી.
અમેરિકામાં ઈઝરાયેલના રાજદૂતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે થોડા દિવસોમાં સમજૂતી થઈ શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ પીએમ નેતન્યાહએ સૈદ્ધાંતિક રીતે યુદ્ધવિરામ ડીલને મંજૂરી આપી દીધી છે. જોકે, ઈઝરાયેલને હજુ પણ કેટલીક બાબતો પર વાંધો છે. છેલ્લા ઘણા સમયથી યુદ્ધવિરામ અંગે ચર્ચા ચાલી રહી હતી. આવી સ્થિતિમાં જો આ વાત સાચી સાબિત થશે તો યુદ્ધથી ઘેરાયેલા લોકો માટે મોટી રાહત થશે.
યુદ્ધવિરામના પ્રયાસો ગયા અઠવાડિયે આગળ વધતા દેખાયા, યારે યુએસ મધ્યસ્થી એમોસ હોચસ્ટીને ઇઝરાયેલમાં બેઠકો યોયા પછી નોંધપાત્ર પ્રગતિની જાહેરાત કરી અને પછી વોશિંગ્ટન પાછા ફરતા પહેલા બેતમાં વાતચીત કરી. ઇઝરાયેલ સરકારના પ્રવકતા ડેવિડ મેન્સરનું કહેવું છે કે અમે એક સમજૂતી તરફ આગળ વધી રહ્યા છીએ, પરંતુ કેટલાક મુદ્દાઓ ઉકેલવાના બાકી છે. વોશિંગ્ટનમાં ઇઝરાયલના રાજદૂત માઇકલ હરઝોગે એક રેડિયો સ્ટેશનને જણાવ્યું હતું કે એક કરાર નજીક છે અને તે થોડા દિવસોમાં થઈ શકે છે, આપણે ફકત છેલ્લા ખૂણાઓ બધં કરવાની જર છે.
છેલ્લા અઠવાડિયામાં, ઇઝરાયેલી દળોએ શકિતશાળી હવાઈ હત્પમલા કર્યા છે, જેમાં મધ્ય બેતમાં એક સહિત ઓછામાં ઓછા ૨૯ લોકો માર્યા ગયા હતા. યારે ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ રવિવારે તેનો સૌથી મોટો રોકેટ હત્પમલો કર્યેા અને ૨૫૦ મિસાઈલો છોડી. ગઈકાલે ઇઝરાયેલી હવાઈ હત્પમલાઓએ હિઝબોલ્લાહ–નિયંત્રિત દક્ષિણી ઉપનગરોના ભાગોને સંપૂર્ણપણે નાશ કર્યેા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech