મૂશળધાર વરસાદના પગલે બેંગલુરુ જળમગ્ન

  • May 20, 2025 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિવાર સાંજથી શરૂ થયેલા વરસાદે સોમવારે પણ અવિરત વરસવાનું શ રાખ્યું હતું અને સોમવારે ૧૨ કલાકમાં ૧૩૦ મીમીથી વધુ પાણી પડી જતા સમગ્ર શહેર પાણીમાં ગરકાવ બની ગયું છે તો બીજી તરફ આજે પણ હવામાન વિભાગે યલો એલર્ટ જારી કરી વાવઝોડા સાથે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યકત કરતા બચાવ કાર્યેામાં વિધ્નો આવી રહ્યા છે.ભારે વરસાદના પગલે શહેરના ૫૦૦થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા તો ૨૦ નાના મોટા તળાવ છલકાઈ જવા પામ્યા હતા. શહેર હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી બચાવ કાર્યમાં બાધા આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
બેંગલુના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે શહેર નગરપાલિકાએ શહેરમાં ઓળખાયેલા ૨૧૦ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ૭૦ ટકા વિસ્તારોને ઠીક કર્યા છે, અને ઉમેયુ કે બાકીના ૩૦ ટકા વિસ્તારો ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
કર્ણાટકની રાજધાનીમાં સતત વરસાદે ભારે તબાહી મચાવી છે કારણ કે મુશળધાર વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રહેવાસીઓને રોજિંદા જીવન જીવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે કર્ણાટક તેમજ રાજધાની શહેરના ઘણા વિસ્તારો માટે યલો એલર્ટ જારી કયુ છે.૨૧ થી ૨૩ મે દરમિયાન, શહેરમાં આંશિક વાદળછાયું આકાશ અને એક કે બે વખત વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે. અને ૨૪ અને ૨૫ મે દરમિયાન, બેંગલુમાં વરસાદ પડવાની આગાહી છે.


સીએમ સિદ્ધારમૈયા કાલે હવાઈ નિરીક્ષણ કરશે, મૃતકોને વળતરની જાહેરાત
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે સોમવારે, બેંગલુમાં ૧૦૪ મીમી વરસાદ નોંધાયો હતો, જે અપેક્ષા કરતા વધુ હતો. મુખ્યમંત્રી અને તેમના નાયબ, ડીકે શિવકુમાર, ૨૧ મેના રોજ શહેરવ્યાપી નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે તેમની સરકાર મહાદેવપુરામાં એક સોટવેર કંપનીના હાઉસકીપિંગ સ્ટાફ શશિકલાના પરિવારને રૂા.૫ લાખનું વળતર આપશે

વર્ક ફ્રોમ હોમ માટે વ્યવસ્થા કરવા સાંસદની માગણી
બેંગલુમાં ભારે વરસાદ વચ્ચે, ભાજપના સાંસદ પીસી મોહને શહેરની કંપનીઓ, જેમાં ઇન્ફોસિસનો પણ સમાવેશ થાય છે, ને વિનંતી કરી કે તેઓ ભારતના સિલિકોન વેલી માં કર્મચારીઓ અને વ્યવસાય પર અસર ઘટાડવા માટે કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની વ્યવસ્થા પર વિચાર કરે.

વીજળી પડવાથી બે, દીવાલ પડતાં મહિલાનું મોત
રહેણાંક સંકુલમાં પાણી ભરાઈ જવાને કારણે વીજળી પડવાથી બે લોકોના મોત થયા હતા. મૃતકોમાં ૬૩ વર્ષીય મનમોહન કામથ અને ૧૨ વર્ષીય દિનેશનો સમાવેશ થાય છે. એક અલગ ઘટનામાં, બેંગલુરુના મહાદેવપુરામાં ૩૫ વર્ષીય મહિલાનું દિવાલ પડવાની ઘટનામાં મૃત્યુ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application