પોતાના ભાષણોથી નફરત ફેલાવવા બદલ ઘણા દેશોમાં પ્રતિબંધિત ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક આ દિવસોમાં પાકિસ્તાનમાં છે. ઝાકિર નાઈક પાકિસ્તાનના સરકારી મહેમાન તરીકે પાકિસ્તાનમાં ભાષણ આપી રહ્યો છે. આ ભાષણમાં તે ઘણીવાર અન્ય ધર્મો વિશે ખોટા નિવેદનો આપીને લોકોમાં નફરત ફેલાવે છે. આ વખતે તેણે મુસ્લિમ મહિલાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પાકિસ્તાનમાં એક ભાષણ દરમિયાન ઝાકિર નાઈકને પૂછવામાં આવ્યું કે જો કોઈ મહિલાને નિકાહ કરવા માટે યોગ્ય પુરુષ જીવનસાથી ન મળે તો તેણે શું કરવું જોઈએ. ઝાકિર નાઈકે કહ્યું હતું કે, જો કોઈ મહિલાને નિકાહ કરવા માટે પુરુષ મળતો નથી તો તેની પાસે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ એવા પુરુષ સાથે લગ્ન કરવાનો છે કે જે અગાઉથી જ પરિણીત છે અથવા તો વેશ્યા બની જાય.
જેના કારણે લોકો ગુસ્સે થયા હતા. તેણે મુસ્લિમ મહિલાઓના નિકાહને લઇને ખૂબ જ ખરાબ નિવેદન આપ્યું છે જેનો પાકિસ્તાનના લોકોએ પણ વિરોધ શરૂ કરી દીધો છે. ઝાકિર નાઇકના આ નિવેદનનો તમામ લોકો વિરોધ કરશે. તેણે મહિલાઓ માટે મધ્યકાલીન યુગનો રસ્તો બતાવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાદ કૈસર નામના પાકિસ્તાની એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે.
તેણે અપરિણીત મહિલાની સરખામણી પબ્લિક પ્રોપર્ટી સાથે કરી અને કહ્યું કે આવી મહિલાઓ માટે મારી પાસે આનાથી વધુ સારો શબ્દ નથી. ઝાકિર નાઈક આટલેથી જ અટક્યો નહોતો. તેણે આગળ કહ્યું હતું કે જો તમે કોઈ સારી મહિલાને પૂછશો કે તને નિકાહ માટે એવો પુરુષ મળતો નથી જે અપરિણીત છે અને બે વિકલ્પ તારી પાસે છે. એવા પુરુષ સાથે નિકાહ કરો જે અગાઉથી જ પરિણીત છે અથવા તો તમે વેશ્યા બનો. તો કોઈપણ સારી સ્ત્રી કહેશે કે હું પહેલો વિકલ્પ પસંદ કરું છું. પાકિસ્તાનીઓ જ ઝાકિર નાઈકની મહિલાઓ પર અપમાનજનક ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનુરી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે
May 14, 2025 01:35 PMદ્વારકામાં વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ
May 14, 2025 01:32 PMસમપર્ણ સર્કલથી સ્વામીનારાયણ મંદિર સુધીનો રસ્તો બે માસ સુધી એક માર્ગીય
May 14, 2025 01:29 PMજીઆઇડીસીના મામલે જામ્યુકોની તરફેણમાં ચુકાદો આવતા ૧૨ કરોડ વસુલાશે
May 14, 2025 01:27 PMરીબેટ યોજનાને હવે માત્ર ૧૬ દિવસ બાકી: શહેરીજનોને લાભ લેવા અપીલ
May 14, 2025 01:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech