જામવાળાના જમજીરનાં ધોધમાં ફરી નવું પાણી આવતા મનોરમ્ય નજારો

  • August 31, 2024 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમજીરના ધોધનો નજારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર, ઉપરવાસમાં વરસાદ પડતા ધોધ ફરી વહેતો થયો. ગીરગઢડાના જામવાળા નજીક આવેલો જમજીરનો ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. આ ધોધને નિહાળવા દેશ વિદેશથી પર્યટકો આવે છે. આ ધોધનું સાૈંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લાવ્હો છે. આ જમજીરનાં ધોધમાં વર્તમાન ચોમાસાની સિઝન દરમિયાન નવા નીર આવતા ધોધનું સાૈંદર્ય સોળે કળાએ ખીલી ઉઠું છે.
મધ્યગીરમાંથી નીકળતી શીંગવડો નદી અહીં ધોધ સ્વપે વહે છે. ચોમાસા દરમિયાન આ ધોધ વિશાળ પ ધારણ કરે છે. આ ધોધનું દ્રસ્ય જેટલું મનોરમ્ય છે એટલુંજ ભયાવહ પણ છે. ગીરગઢડા તાલુકાનાં જામવાળા પાસે આવેલા પ્રખ્યાત જમજીરનાં ધોધમાં નવું પાણી આવતા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ટુરિસ્ટ ધોધનો આનદં લઈ રહ્યા છે. પરંતુ પર્યટકોને આ ધોધની ભયાનકતાનો ખ્યાલ હોતો નથી. આથી કેટલાક લોકો સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકીદે છે. પ્રસિદ્ધ જમજીરના ધોધ દ્રશ્ય સામે આવ્યા હતા. જમજીરના ધોધનો નજારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતો આ ધોધ વરસાદ પડતા ફરી વહેતો થયો છે અને આ નજારો જોવા દૂર દૂરથી પ્રવાસીઓ ગીરમાં આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application