આપણે બધા જાણીએ છીએ કે લીલા પાંદડાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. આને 'પોષણના પાવરહાઉસ' કહેવામાં આવે છે. પાલક પણ આમાંથી એક છે અને તેના પોષક તત્વો માટે જાણીતી છે પરંતુ શું જાણો છો કે કેટલાક લોકો માટે પાલક ફાયદાકારક હોવાને બદલે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. ડૉક્ટરો કેટલાક લોકોને પાલકનું સેવન ટાળવાની સલાહ આપે છે. જાણો ક્યા લોકોએ પાલક ખાવાથી બચવું જોઈએ અને શા માટે.
1) કિડનીમાં પથરી થવાનું જોખમ
પાલકમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે. કેલ્શિયમ સાથે ઓક્સાલેટનું સંયોજન કિડનીમાં પથરીનું કારણ બની શકે છે. કિડનીની સમસ્યાથી પીડાતા લોકોએ માત્ર મર્યાદિત માત્રામાં જ પાલકનું સેવન કરવું જોઈએ.
2) પાચન સમસ્યાઓ
પાલકમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. આ જ કારણ છે કે વધારે માત્રામાં ફાઈબરનું સેવન કરવાથી કબજિયાત, પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યાઓ વધી શકે છે. તેથી પાચન સંબંધી સમસ્યાઓથી પીડિત લોકોએ વધુ પડતી પાલક ખાવાનું ટાળવું જોઈએ.
3) થાઈરોઈડની સમસ્યા
પાલકમાં ગોઇટ્રોજેનિક તત્વો જોવા મળે છે જે થાઇરોઇડ ગ્રંથિની કામગીરીને અસર કરી શકે છે. થાઈરોઈડની સમસ્યાથી પીડિત લોકોએ ડોક્ટરની સલાહ લીધા પછી જ પાલકનું સેવન કરવું જોઈએ.
4) કેટલીક દવાઓની અસરમાં ઘટાડો
પાલકમાં વિટામિન Kનું પ્રમાણ વધુ હોય છે. વિટામિન K લોહીને પાતળું કરતી દવાઓની અસરોને ઘટાડી શકે છે. તેથી જે લોકો લોહીને પાતળું કરતી દવાઓ લેતા હોય તેઓએ પાલકનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.
5) એલર્જીનું જોખમ
કેટલાક લોકોને પાલકની એલર્જી હોઈ શકે છે. જો પાલક ખાધા પછી ખંજવાળ, સોજો અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
આ સિવાય પાલકમાં હાજર ઓક્સાલિક એસિડ અને ફાયટેટ્સ નામના તત્વો કેલ્શિયમના શોષણમાં અવરોધ ઊભો કરે છે. તેથી વધુ પડતી પાલક ખાવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે અને હાડકાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો પહેલાથી જ હાડકા સંબંધિત કોઈ સમસ્યા હોય, તો પાલકનું સેવન મર્યાદિત કરવું જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીન અને પાકિસ્તાનની નવી ચાલઃ રાફેલને બદનામ કરવા કાવતરું ઘડ્યું, હવે ખુલાસો થયો
June 07, 2025 02:41 PMછત્તીસગઢમાં 45 લાખનું ઇનામ ધરાવતો ટોચનો નક્સલી નેતા ભાસ્કર રાવ ઠાર
June 07, 2025 02:39 PM2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ
June 07, 2025 02:27 PMફ્લાવર બેડનો મુદ્દો ઉકેલવા સીએમ સમક્ષ કોરપોરેટરોએ માગણી મૂકી
June 07, 2025 02:24 PMપેટા કોન્ટ્રાક્ટરના 1.40 કરોડના ચેક રિટર્નના કેસમાં કોન્ટ્રાક્ટરનો છુટકારો
June 07, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech