જામનગરના દરેડ ગામમાં રહેતા યુવાનની તેના સાળા અને સાળાના મિત્રે મળી પાઇપ વડે બેફામ માર મારતા યુવાનનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.હત્યાના આ બનાવમાં પોલીસે બંને આરોપીને ઝડપી લીધા હતાં.હત્યા કર્યા બાદ બંને આરોપી મોરબી અને દ્રારકા તરફ છુપાઇને રહેતા હોવાની કબુલાત આપી હતી.આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
જામનગરના દરેડ ગામમાં રહેતા સુનિલ જગદિશ જાદવ (ઉં.વ.૨૭) બે વર્ષ પહેલાં આરોપી રવિની બહેન પ્રિયા સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. લ બાદ બંને જામનગર રહેતા હતા. દરમિયાન ગત તા.૬.૦૩.૨૦૨૪ના રોજ રવિ જામનગર ગયો હતો અને સારવાર કરાવવાના બહાને બહેન પ્રિયાને તેડીને પોતાના ઘરે રાજકોટ લઈ આવ્યો હતો. ત્યારબાદ રવિએ બહેન પ્રિયાને તેના પતિ સાથે વાતચીત કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. એટલું જ નહીં તેને સાસરે પણ મોકલતો નહોતો. જેના કારણે સુનિલ ગત તા.૧૩.૦૩.૨૦૨૪ના રોજ પત્નીને તેડવા તેના ઘરે પહોંચ્યો હતો. એ વખતે રવિ અને તેના મિત્ર રવિએ ભેગા મળી સુનિલને પાઈપના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હત્પમલો કર્યેા હતો. જેના કારણે સુનિલને પગમાં ફ્રેકચર થઈ ગયા હતા.
બનાવ બાદ બી–ડિવિઝન પોલીસે સુનિલની ફરિયાદ પરથી બંને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યેા હતો. જોકે, હત્પમલો કરી આરોપીઓ ભાગી જતાં હાથમાં આવ્યા નહોતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શનિવારે સુનિલ જાદવે સારવાર દરમિયાન દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જેથી બી–ડિવિઝન પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યેા હતો.
પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી.મા તથા ટીમે તપાસ હાથ ધરી હતી દરમિયાન હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા અને રાજેશભાઇ બાળાને મળેલી બાતમીના આધારે બંને હત્યારા રવિ ઉર્ફે રવિરાજ મનુભાઈ પરમાર (ઉં.વ.૨૨ રહે. ગણેશનગર શેરી નં.૨ જુનો મોરબી રોડ રાજકોટ) અને તેના મિત્ર રવિ ઉર્ફે બબલી ડાયાભાઈ જોગિયાણી (ઉં.વ.૨૪ રહે.ભવાની ચોક નાની બજાર હનુમાનજી શેરી,મોરબી)ને ઝડપી લીધા હતાં.
આરોપી રવિ ચામુંડા સોસાયટીમાં જૂના ટાયરના લે–વેચનું કામ કરે છે. યારે તેનો મિત્ર મોરબીમાં રિક્ષા ચલાવે છે. બંને આરોપીઓ હુમલો કર્યા બાદ દ્રારકા અને મોરબી સહિતના શહેરોમાં ભાગી ગયા હતા. હાલ પોલીસે કોર્ટમાં રજૂ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech