બાંટવાની વિરાટનગર સોસાયટી છ માસથી નળ જોડાણથી વંચિત

  • February 06, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં નર્મદાના નીર પહોંચાડવાની સાથે દરેક ઘરમાં નળ હોવાની વાતો કરી રહી છે પરંતુ આ વાતો માત્ર બેનરો અને સૂત્રોમાં જ સારી લાગતી હોય તેમ બાંટવાના વિરાટનગર સોસાયટીની હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે વાસ્તવિકતા તો એ છે કે, આ સોસાયટીમાં છ મહિનાથી નળ જોડાણ જ મળ્યા નથી તો પાણી કેવી રીતે પહોંચતું હશે એ સો મણનો સવાલ છે.
બાંટવાની વિરાટનગર સોસાયટીના રહીશોએ નગરપાલિકાના ચિફ ઓફિસરને નળ કનેકશન આપવા બાબતે છ માસથી લેખીત રજૂઆતો કરી છે એમ છતાં આ રજૂઆતો બહેરા કાને અથડાતી હોય તેમ કોઇ જવાબ પાલીકા તંત્રમાંથી મળી રહ્યો નથી તેવા રહીશોનો રોષપૂર્વક આક્ષેેપ છે. આ બાબતે છેક સીએમ સુધી રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં આજદિન સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application