આ કેસની હકિકત મુજબ ગઈ તારીખ 1/ 11/ 2024ના રોજ રાજકોટમાં જામનગર રોડ મનહરપુર ૧માં આવેલી પૃથ્વીરાજ સોસાયટીમાં રહેતા ફરીયાદી પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુભાઈ રમેશભાઈ લખલાણી અયોધ્યા ચોક પાસે, ટાઈમ સ્કવેર બીલ્ડીંગ સામે ફુટપાથ ઉપર ઉભા રહી પોતાના મિત્ર રફીકભાઈ સાથે વાતચીત કરતા હતા ત્યારે જુની અદાવતનો ખાર રાખી મીત ધામેચા, મનીષ ધામેચા, અમીત ધામેચા, ચિરાગભાઈ ધામેચા અને અશોકસિંહ ઉર્ફે આર.સી. ગોહીલ નામના શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલોસમાં ફરિયાદ નોંધાતા આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ કેસનું ચાર્જશીટ મુકાઈ જતા જેલ હવાલે રહેલા પૈકીના આરોપી અમીત બાબુભાઈ ધામેચા અને અશોકસિંહ ઉર્ફે રૂતુરાજસિંહ ઉર્ફે આર.સી. જગદીશભાઈ ગોહેલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બચાવ પક્ષે રોકાયેલ એડવોકેટ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ઇજાગ્રસ્તનું ડીડી અને ચાર્જશીટમાં જોવામાં આવે તો હાલના આરોપીઓએ ઇજા કરેલ છે તેવું દર્શાવેલ નથી, આરોપીઓને અગાઉના કેસમાં ક્યાંય સજા થઈ નથી, તેમજ ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ કોર્ટે બંને આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા, હર્ષ રોહીતભાઈ ઘીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application“જામનગરએ ખરેખર વટ પાડી દીધો છે” તે શબ્દોથી મુખ્યમંત્રીએ પોતાનું વકતવ્ય શરૂ કર્યું
June 07, 2025 12:33 PMઆરંભડા અને વરવાળા સીમમાં વિદેશી દારુ-બિયરના જથ્થા સાથે શખ્સો પકડાયા
June 07, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech