સગીરા સાથે દૂષ્કર્મ આચરનાર આરોપીની જામીન અરજી નામંજૂર

  • September 03, 2024 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કિશોરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી દાખલ કરતા ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજીની નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, બનાવની તપાસ હાલ ચાલી રહી છે ત્યારે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અરજી નામંજૂર કરવામાં આવે છે.   કેસની વિગત એવી છે કે,પંકજ મનજીભાઈ વાઘેલા (રહે. જેતપુર) નામનો શખ્સ કીશોરીનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો અને તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમ હેઠલ ગુનો દાખલ કરી આરોપીની તા.૨૨ ઓગષ્ટના રોજ ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી દાખલ કરતા તેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારની ઉંમર ખુબ જ નાની છે અને તેણે આ પ્રકારનો કોઇ ગુનો આચર્યો નથી. જો જામીન આપવામાં આવશે તો કોર્ટ દ્વારા જે શરતો જણાવવામાં આવશે તેનું પાલન કરવામાં આવશે. જ્યારે સરકાર તરફ રજૂઆત આ કરવામાં આવી હતી કે, આરોપી ઉપા જાણતો હતો કે, કિશોરી સગીર છે સર છતાં તેનું અપહરણ કરી તેની સાથે છે. દુષ્કર્મ આચર્યું છે. અરજદાર સામે ટી. ગંભીર પ્રકારનો ગુનો નોંધાયેલો ડો. છે અને અરજદારને જો જામીન જન્મ આપવામાં આવશે તો પુરાવા પુર સાથે ચેડા કરશે. જ્યારે તપાસ ચો અધિકારીએ પણ સોંગદનામુ રજુ અ કરી જામીન અરજી રદ કરવાની દિ રજૂઆત કરી હતી. ન્યાયાધીશે ગુનાની ગંભીરતા તેમજ કેસની ઈ તપાસ હાલ ચાલી રહી હોય  તેમજ આરોપી સામે પ્રથમદર્શી અ કેસ જણાઈ રહ્યો હોવાની નોંધ અ સાથે અરજદારની જામીન અરજી  નામંજૂર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application