જામનગરમાં દુષ્કર્મ આચારનાર પૂર્વ આચાર્યની જામીન અરજી ફગાવાઈ

  • July 11, 2023 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની ખાનગી શાળાની વિધાર્થીની પર દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં જેલ હવાલે થયેલા પૂર્વ આચાર્ય મનીષ બુચની જામીન અરજી વધુ એક વખત કોર્ટે ફગાવી દીધી હતી. બૂચ સામેની ચાર્જશીટ પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ પછી દાખલ કરવામાં આવી હતી,
જે તે સમયે માત્ર ૧૫ વર્ષની વયની ભૂતપૂર્વ વિદ્યાર્થીની સામે વારંવાર જાતીય હુમલાના ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ પછી પોલીસ દ્વારા આરોપી પૂર્વ પ્રિન્સિપલ મનીષ બુચ ની અટકાયત કરી લઈ જેલ હવાલે કરાયો હતો.
આરોપી દ્વારા જામનગરની અદાલતમાં પોતાને જામીન પર મુક્ત કરવા માટેની અરજી કરાઈ હતી, જેમાં સરકાર પક્ષે રોકાયેલા પબ્લિક પ્રોસિક્યુટર  જમન ભાઈ ભંડેરીએ, બુચ વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી, જામીન અરજી નામંજૂર કરવા માટે કોર્ટ પાસે જરૂરી તથ્યો છે તેની ખાતરી કરાવી હતી. જે સમગ્ર દલીલો પછી અદાલતે જામીન અરજી ફગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application