સંતોનું ભાવપૂજન અમે દાતાોનો સન્માન કાર્યક્રમ યોજાશે
જામજોધપુર તાલુકા ના બગધરા ગામે નૂતન શ્રી રામ મંદિર નિર્માણ થઈ ચુકેલ છે જે અંતર્ગત 3 દિવસ શાસ્ત્રોક વિધિ સાથે યજ્ઞ યોજાશે જેમાં અગ્નિસ્થાપન, ગ્રહશાંતિ, જલાધિવાસ, ધાન્યાધિવાસ, અભિષેક સાથે દિવ્ય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે અને પ્રથમ આરતી, શિખર પૂજન, ધ્વજારોહણ બગધરા ગામ માં ભવ્ય નગરયાત્રા યોજાશે.
જે જગદીશભાઈ પરમાણંદભાઈ મહેતાના ઘરથી મુખ્ય બજાર થઈ નિજ મંદિર સુધી આવશે અને સમગ્ર ગામનો સમૂહ રસોત્સવ અને સંતો દ્વારા સત્સંગ કથા વાર્તા કરવામાં આવશે જેમાં પૂજય સાં.યો. ગીતાબા ના આશીર્વચન તથા પૂજય સાં.યો. રાધાબાના શ્રીમુખે સત્સંગનો લાભ મળશે.
સાધુ- સંતોના આશીર્વાદ, ભાવપૂજન સાથે મંદિર બાંધકામ અને મહોત્સવ ના મુખ્ય યજમાન દાતાશ્રી દિનેશભાઇ મહેતા આફ્રિકા, રમેશભાઈ મહેતા અમેરિકા તથા અન્ય દાતાઓ તથા સ્વયંસેવકના સન્માન કરવામાં આવશે અને પુર્ણાહુતિ ના મુખ્ય દિવસે સમૂહ સમસ્ત બગધરા ગ્રામજનોનો ભોજન પ્રસાદ સત્ મણીમા રાજગોર બ્રહ્મ સમાજ બગધરા ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમનો અનેરો ઉત્સાહ સમગ્ર ગ્રામજનો માં અને રામ ભક્તોમાં છવાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆગામી તા.૨૬ માર્ચના રોજ મામલતદાર કચેરી જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
March 12, 2025 06:28 PMઊંડ નદી ઉપર ચાલતા પુલના કામકાજ કરતાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી
March 12, 2025 06:19 PMજામનગરમાં ફિલ્મી હોળી ધમાકા બનશે યાદગાર આયોજન
March 12, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech