સંતોનું ભાવપૂજન અમે દાતાોનો સન્માન કાર્યક્રમ યોજાશે
જામજોધપુર તાલુકા ના બગધરા ગામે નૂતન શ્રી રામ મંદિર નિર્માણ થઈ ચુકેલ છે જે અંતર્ગત 3 દિવસ શાસ્ત્રોક વિધિ સાથે યજ્ઞ યોજાશે જેમાં અગ્નિસ્થાપન, ગ્રહશાંતિ, જલાધિવાસ, ધાન્યાધિવાસ, અભિષેક સાથે દિવ્ય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે અને પ્રથમ આરતી, શિખર પૂજન, ધ્વજારોહણ બગધરા ગામ માં ભવ્ય નગરયાત્રા યોજાશે.
જે જગદીશભાઈ પરમાણંદભાઈ મહેતાના ઘરથી મુખ્ય બજાર થઈ નિજ મંદિર સુધી આવશે અને સમગ્ર ગામનો સમૂહ રસોત્સવ અને સંતો દ્વારા સત્સંગ કથા વાર્તા કરવામાં આવશે જેમાં પૂજય સાં.યો. ગીતાબા ના આશીર્વચન તથા પૂજય સાં.યો. રાધાબાના શ્રીમુખે સત્સંગનો લાભ મળશે.
સાધુ- સંતોના આશીર્વાદ, ભાવપૂજન સાથે મંદિર બાંધકામ અને મહોત્સવ ના મુખ્ય યજમાન દાતાશ્રી દિનેશભાઇ મહેતા આફ્રિકા, રમેશભાઈ મહેતા અમેરિકા તથા અન્ય દાતાઓ તથા સ્વયંસેવકના સન્માન કરવામાં આવશે અને પુર્ણાહુતિ ના મુખ્ય દિવસે સમૂહ સમસ્ત બગધરા ગ્રામજનોનો ભોજન પ્રસાદ સત્ મણીમા રાજગોર બ્રહ્મ સમાજ બગધરા ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમનો અનેરો ઉત્સાહ સમગ્ર ગ્રામજનો માં અને રામ ભક્તોમાં છવાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech