ગોંડલ તાલુકાના વાછરા ગામે રાત્રીના ધાર્મિક સ્થળે ભજનના કાર્યક્રમ દરમિયાન મારામારી થઇ હતી.જેમાં યુવાન અને પ્રૌઢને ઇજા પહોંચી હતી.આ અંગે સામસામી ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે સાત શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મારામારીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા ગીરીશ હમીરભાઇ સોલંકી(ઉ.વ ૩૦) નામના યુવાને નોંધવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે વાછરા ગામે જ રહેતા શામજી ગાંગજીભાઇ સોલંકી, રોનક શામજીભાઇ સોલંકી, નાનજી ગાંગજીભાઇ સોલંકી અને પિન્ટુ નાનજીભાઇ સોલંકીના નામ આપ્યા છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાત્રીના એકાદ વાગ્યા આસપાસ ગામમાં આવેલા સંતશ્રી વાઘ વિરમસાહેબની જગ્યામાં ભજનનો પ્રોગામ હોય જેથી યુવાન અહીં ગયો હતો.ત્યારે તેને મિત્ર સાગર મળી જતા તેને કહ્યું હતું કે કેમ છે? જેથી તેણે જવાબ આપ્યો હતો કે સારૂ છે.દરમિયાન રોનક અહીં ઉભો હોય જે નશાની હાલતમાં જણાતા તેણે ગાળો દઇ ઝઘડો કરતા યુવાન અહીંથી બહાર નીકળી ગયો હતો. બાદમાં બસ સ્ટેન્ડ પાસે પહોંચતા રોનક અને તેના પિતા શામજીભાઇએ આવી ઢીકાપાટુ અને ધોકા વડે મારમાર્યો હતો ત્યાર બાદ પિન્ટુ અને તેના પિતા નાનજીભાઇએ આવી યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો.આ દરમિયાન યુવાનના માતા-પિતા તેને છોડાવવા આવતા આ શખસોએ તેમની સાથે પણ ઝપાઝપી કરી મુંઢ ઇજા પહોંચાડી હતી. જે અંગે યુવાનની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.
સામાપક્ષે વાછરા ગામે રહેતા નાનજીભાઇ ગાંગજીભાઇ સોલંકી(ઉ.વ ૫૮) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગીરીશ સોલંકી તેના પિતા હમીર સોલંકી અને માતા સુમનીબેનના નામ આપ્યા છે. પ્રૌઢે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે તે રાત્રીના ગામમાં ભજનના કાર્યક્રમમાં ગયા હતાં.ત્યારે રોનક અને ગીરીશ ઝઘડો કરતા હોય તેમણે બંનેને છુટા પાડયા હતાં. જેનો ખાર રાખી તેઓ ઘરે જતા હતા ત્યારે હમીર અને તેનો દીકરો ગીરીશ લાકડાનો ધોકો લઇ આવી મારમાર્યો હતો.છોડવવા વચ્ચે પડતા ફરિયાદીની પુત્રવધુને પણ મારમાર્યો હતો.આ અંગે પ્રૌઢની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech