મનપા દ્વારા સરિતા શોપિંગ સેન્ટર ખાતે મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના પ્રથમ ઓવરબ્રિજની કામગીરીને નડતરરૂપ સરિતા શોપિંગ સેન્ટરને રવિવારની રજાના દિવસમાં પણ મહાનગરપાલિકા દ્વારા જેસીબી ફેરવી તોડી પાડવામાં આવ્યું હતું. બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થયા હતા.
ભાવનગરના પ્રથમ ઓવરબ્રિજને નડતરરૂપ સરિતા શોપિંગ સેન્ટરને આખરે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરી તોડી પાડવામાં આવ્યું. શહેરના ગઢેચી વડલા થી લઈને દેસાઈનગર સુધી બની રહેલા ઓવરબ્રિજમાં સર્વિસ રોડને નડતરરૂપ સરિતા શોપિંગ સેન્ટર હટાવવા માટે અગાઉ દુકાન ધારકોને નોટિસ આપવામાં આવી હતી. જોકે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈને દુકાનદારો દ્વારા કોર્ટમાંથી સ્ટે લાવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ કોર્ટ દ્વારા મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપવામાં આવતા સરિતા શોપિંગ સેન્ટરના દુકાન ધારકો જેમાં અંદાજે ૪૪ જેટલી દુકાનો છે. તે દુકાનોના વેપારીઓ દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જોકે હાઇકોર્ટ દ્વારા આગામી તારીખ ૧૫ ફેબ્રુઆરી સુધી મુદત આપવામાં આવી હતી. પરંતુ આ અંગે હાઇકોર્ટ દ્વારા ફ્લાઇ ઓવર બ્રિજને નડતરરુપ દુકાનો હોવાનું પણ દર્શાવ્યુ હતું. જેને પગલે મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા દુકાનોનું માર્કિંગ કરાયા બાદ સરિતા શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો હટાવવામાં નહીં આવતા આખરે મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા એસ્ટેટ વિભાગને સાથે રાખીને આજે રવિવારની રજા હોવા છતાં સરિતા શોપિંગ સેન્ટરને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અને મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ જરૂરી માર્કિંગ સાથે સરિતા શોપિંગ સેન્ટરને હટાવવામાં આવ્યું હતું. મનપા દ્વારા કરવામાં આવેલા મેગા ડીમોલેશન કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળાં સ્થળ પર એકઠા થઇ ગયા હતા. જોકે બીએમસી દ્વારા પોલીસને પણ જાણ કરાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફરી જય શાહની ભવિષ્યવાણી, રોહિત શર્માની કેપટન્સીમાં ભારત આ બંને ટ્રોફી પણ કરશે પોતાના નામે
July 07, 2024 06:22 PMઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech