બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો હતો કે તેણે બલૂચિસ્તાનના એક તૃતીયાંશ ભાગ પર કબજો કરી લીધો છે. BLA એ દાવો કર્યો છે કે પાકિસ્તાની સેના પોતાની ચોકી છોડીને ભાગી ગઈ છે. BLA એ અફઘાનિસ્તાન-ઈરાનને અડીને આવેલા વિસ્તાર પર કબજો કરવાનો દાવો કર્યો છે. દરમિયાન, પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તે છે. લોકોને પોતાના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પાકિસ્તાની સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલયને સશસ્ત્ર માણસો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. ક્વેટાના જંગલ બાગમાં કંબ્રાની રોડ પર પાકિસ્તાની સેનાના કેપ્ટન સફર ખાન ચેક પોસ્ટને અજાણ્યા લોકોએ નિશાન બનાવ્યું અને ગોળીબાર કર્યો અને ત્યારબાદ અનેક વિસ્ફોટો થયા.
ગુરુવારે રાત્રે (૮ મે, ૨૦૨૫) પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર સહિત અનેક લશ્કરી સ્થાપનો પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યો હતો. આ પછી, ભારતે વળતો જવાબ આપ્યો અને લાહોર અને કરાચીમાં જવાબી કાર્યવાહી કરી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech