સહકારી ક્ષેત્રમાં ભાજપની ખિલ્લી નહીં હલે, 90 ચૂંટણીઓ બિનહરીફ થશેઃ જયેશ રાદડિયા

  • September 29, 2024 07:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં યોજાયેલ સહકારી વિભાગની સામાન્ય સભામાં બોલતા જયેશ રાદડીયાએ કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાંથી ભાજપની ખિલ્લી પણ હલવાની નથી. સહકારી ક્ષેત્રની 90 ચૂંટણીઓ બિનહરીફ થશે. જે 10 ટકા સહકારી ક્ષેત્રમાં ચૂંટણી યોજાઈ છે ત્યાં પણ ભાજપની પેનલનો જ વિજય થયો છે. રાજકોટ જિલ્લાની 95 ટકા સહકારી સંસ્થાઓની ચૂંટણી બિનહરીફ થઈ છે.


વિગતવાર વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે રાજકોટ જીલ્લા સહકારી બેંક સહિતની 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધારણ સભાના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સામાન્ય સભામાં બોલતા જયેશ રાદડીયાએ કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાંથી ભાજપની ખિલ્લી પણ હલવાની નથી. સહકારી ક્ષેત્રની 90 ચૂંટણીઓ બિનહરીફ થશે. જે 10 ટકા સહકારી ક્ષેત્રમાં ચૂંટણી યોજાઈ છે ત્યાં પણ ભાજપની પેનલનો જ વિજય થયો છે. રાજકોટ જિલ્લાની 95 ટકા સહકારી સંસ્થાઓની ચૂંટણી બિનહરીફ થઈ છે.


આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરત બોઘરા, રામ મોકરીયા, કાંતિ અમૃતિયા, રાઘવજી પટેલ, દિલીપ સંઘાણી, રમેશ ટીલાળા, દુર્લભજી દેથરીયા સહિતના નેતાઓ હાજર રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે રાજકોટ જીલ્લા સહકારી બેંક સહિતની 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર સભા જયેશ રાદડીયાની આગેવાનીમાં યોજવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application