રાણાવાવમાં ભાજપના આગેવાનોએ પ્રબુધ્ધ નાગરિકો સાથે કર્યો સંવાદ

  • May 08, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના રાણાવાવ ગામે ભાજપના આગેવાનોએ પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી સમાજના દરેક વ્યક્તિને અધિકાર, સન્માન અને સમાન તકો આપવાની દિશામાં અવિરત પ્રયત્નશીલ છે ત્યારેઆજ દ્રષ્ટિ સાથે ભારતીય જનતા પાર્ટી રાણાવાવ શહેર ભાજપ પ્રમુખ રામદેભાઈ ઓડેદરા તથા મહામંત્રી સુનિલભાઈ ચૌહાણ ની અધ્યક્ષતા માં ડો.આંબેડકર સાહેબ સન્માન અભિયાન હેઠળ રાણાવાવ સ્ટેશન નાગકા પ્લોટ વિસ્તારમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં  રાણાવાવ શહેર ભાજપ પ્રમુખ રામદેભાઈ ઓડેદરા,મહામંત્રી સુનિલભાઈ ચૌહાણ,કારાભાઈ મોઢવાડીયા, ભાવિનભાઈ માલમ,સરમણભાઈ, પરબતભાઇ, સાગર રાઠોડ, સંજય ડાભી, ચિરાગ મોઢવાડીયા,સતીષ ડાભી સહિતના લોકો આ મુલાકાત કરી નરેન્દ્ર મોદીના વિચારો લોકો સુધી પહોંચાડવા તેમજ ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા જે મહાન સંવિધાન લખવામાં આવ્યુ જેમાં દરેક વ્યક્તિને સન્માન, સમાનતકો અધિકારો મળે એ દિશામાં નરેન્દ્ર મોદી જે કામ કરી રહ્યા છે તે લોકો સુધી પહોંચાડવા માટે ખાત્રી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application