ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા ત્યારે ચાહકોને આશા હતી કે ટીમ સારૂ પ્રદર્શન કરશે. પરંતુ હેડ કોચ બનતાની સાથે જ કંઈક બીજું જ જોવા મળી રહ્યું છે. ટીમ ઈન્ડિયા પહેલા શ્રીલંકન ટીમ સામે ઓડીઆઈ સીરીઝ હારી ગઈ હતી અને હવે રોહિત એન્ડ કંપનીને તેના જ ઘરઆંગણે ટેસ્ટ સીરીઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો, હવે ભારત ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ક્લીન સ્વીપ હાર બાદ ગૌતમ ગંભીર અંગે પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, ગૌતમ ગંભીર માટે બીસીસીઆઈનો એક મોટો નિયમ તોડવામાં આવ્યો હતો.
ગંભીર માટે નિયમ તૂટી ગયો!
હાલમાં જ ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરી છે અને આ પસંદગી સમિતિની બેઠકમાં BCCIનો એક મોટો નિયમ તોડવામાં આવ્યો છે. બીસીસીઆઈની રૂલ બુક મુજબ મુખ્ય કોચ પસંદગી સમિતિનો ભાગ ન હોઈ શકે પરંતુ ગૌતમ ગંભીરે બોર્ડર-ગાવસ્કર શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમની પસંદગી સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. ગૌતમ ગંભીરની સલાહ પર હર્ષિત રાણાને ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. હર્ષિત રાણાને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો વધુ અનુભવ નથી પરંતુ તેમ છતાં ઓસ્ટ્રેલિયા જેવા મોટા પ્રવાસ માટે ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી.
બીસીસીઆઈના અધિકારીઓ ગંભીર સાથે સહમત ન હતા
માત્ર બોર્ડર-ગાવસ્કર સિરીઝ માટે જ નહીં પરંતુ મુંબઈમાં યોજાનારી ટેસ્ટ મેચ માટે પણ ગૌતમ ગંભીરે એક એવો નિર્ણય લીધો જેનાથી બીસીસીઆઈના અધિકારીઓ ખુશ નહોતા. ગૌતમ ગંભીરે જ મુંબઈ ટેસ્ટમાં સ્પિન ફ્રેન્ડલી પિચ બનાવવાનો નિર્ણય લીધો હતો. બીસીસીઆઈના અધિકારીઓ આ સાથે સહમત ન હતા. ખાસ કરીને જ્યારે પુણેની આવી જ પીચ પર ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો ત્યારે ગંભીરે પિચને સ્પિન ફ્રેન્ડલી બનાવી હતી પરંતુ તેમ છતાં તેણે બે ઝડપી બોલરોને તક આપી હતી. આ ઉપરાંત, બીસીસીઆઈના અધિકારીઓને બેટિંગ ઓર્ડરને લઈને ગૌતમ ગંભીરના નિર્ણયો પસંદ ન આવ્યા હતાં. હવે જો ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડે છે અને તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ જાય છે તો સિનિયર ખેલાડીઓ જ નહીં પરંતુ ગૌતમ ગંભીર પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMજામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ સંકુલ ખાતે સ્વિમિંગ પૂલનું નિરીક્ષણ કરતા મેયર સહિતના પદાધિકારીઓ
April 25, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech