અધ્યાત્મનગરી જામનગરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિર જામનગરના પ્રાંગણમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર સંકુલની ખાતવિધિ તારીખ તા.૦૨/૦૬/૨૦૨૩ના શુક્રવારે ખૂબ ભવ્યતાથી સંપન્ન થઇ. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનેશ્વરસ્વામી તેમજ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રમેશભાઈ મુંગરા, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ, બિમલભાઈ કગથરા, જામનગર શહેર ભાજપ પ્રમુખ, કલેકટર બી. એ. શાહ, કમિશ્નર ડી. એન. મોદી, લખધીરસિંહ જાડેજા ચેરમેન શિક્ષણ સમિતિ, જામનગર શહેર, ઉપરાંત મહિલા વિભાગમાં મધુબેન ભટ્ટ ડી. ઈ. ઓ. જામનગર ઉપસ્થિત રહ્યા અને તેઓના હસ્તે ખાતવિધિ સંપન્ન થઇ. આ પ્રસંગે કમિશ્નર ડી. એન. મોદી તેમજ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની વિશ્વવ્યાપી શૈક્ષણિક સેવાને બિરદાવી. જામનગર તેમજ દેવભૂમિ દ્વારિકા જીલ્લામાં શરુ થતા શૈક્ષણિક સંકુલના પ્રકલ્પની સરાહના કરી હતી. પૂજ્ય જ્ઞાનેશ્વરસ્વામીએ શિક્ષણનું મહત્વ અને ચારિત્ર્ય યુક્ત શિક્ષણની અગત્યતા જણાવી. આ નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
September 20, 2024 11:06 AMનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ પિયાની છેતરપિંડી કરી
September 20, 2024 10:58 AMવારાણસી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહ પાસે જ આગથી ગભરાટ
September 20, 2024 10:56 AMપીએમ નેતન્યાહની હત્યાનું કાવતરૂ નિષ્ફળ, ઈરાને આપી હતી સોપારી
September 20, 2024 10:53 AMમત માટે મહિલાઓના પાકિટ ભારે કરવાની પક્ષોમાં હરિફાઈ
September 20, 2024 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech