જામનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરે ખાતવિધિ સમારોહ યોજાયો

  • June 07, 2023 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અધ્યાત્મનગરી જામનગરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિર જામનગરના પ્રાંગણમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર સંકુલની ખાતવિધિ તારીખ તા.૦૨/૦૬/૨૦૨૩ના શુક્રવારે ખૂબ ભવ્યતાથી સંપન્ન થઇ. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનેશ્વરસ્વામી તેમજ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રમેશભાઈ મુંગરા, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ, બિમલભાઈ કગથરા, જામનગર શહેર ભાજપ પ્રમુખ, કલેકટર બી. એ. શાહ, કમિશ્નર ડી. એન. મોદી, લખધીરસિંહ જાડેજા  ચેરમેન શિક્ષણ સમિતિ, જામનગર શહેર, ઉપરાંત મહિલા વિભાગમાં મધુબેન ભટ્ટ  ડી. ઈ. ઓ. જામનગર ઉપસ્થિત રહ્યા અને તેઓના હસ્તે ખાતવિધિ સંપન્ન થઇ. આ પ્રસંગે કમિશ્નર ડી. એન. મોદી તેમજ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની વિશ્વવ્યાપી શૈક્ષણિક સેવાને બિરદાવી. જામનગર તેમજ દેવભૂમિ દ્વારિકા જીલ્લામાં શરુ થતા શૈક્ષણિક સંકુલના પ્રકલ્પની સરાહના કરી હતી. પૂજ્ય જ્ઞાનેશ્વરસ્વામીએ શિક્ષણનું મહત્વ અને ચારિત્ર્ય યુક્ત શિક્ષણની અગત્યતા જણાવી. આ નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application