એઇમ્સમાં આધુનિક સાધનોથી સજ્જ ઓટોપ્સી બ્લોક તૈયાર: પહેલું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું

  • July 22, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એઇમ્સમાં નિદાન-સારવાર માટે એક પછી એક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે તેની સાથો સાથ રિસર્ચ માટેની પણ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવી રહી છે. એઇમ્સ ખાતે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડો.કર્નલ સી.ડી.એસ કટોચના માર્ગદર્શન હેઠળ મોરચ્યુરી ઓટોપ્સી બ્લોક તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં ફોરેન્સિક વિભાગ દ્વારા પોસ્ટ મોટમ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક વિભાગના વડા પ્રોફેસર ડો.સંજય ગુપ્તા અને ડો.ઉત્સવ પારેખ દ્વારા કુદરતી મુત્યુ પામેલા 32 વર્ષીય વ્યક્તિનું પ્રથમ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, એઇમ્સ રાજકોટ ભારતની સૌ પ્રથમ એવી હોસ્પિટલ બની છે જે હોસ્પિટલ શરુ થયાના ટૂંક સમયમાં જ ફોરેન્સિક ડોક્ટરોની ભરતી કરીને પોસ્ટમોર્ટમની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જે રાજકોટ સહીત સૌરાષ્ટ્રને આકસ્મિક બનાવોમાં મોતનું સાચું કારણ જાણવામાં મદદ રૂપ થશે. મોરચ્યુરી ઓટોપ્સી બ્લોકને અત્યંત આધુનિક અને વિશાળ બનાવવામાં આવ્યો છે. અને ઇન્ટરનેશનલ કક્ષાના સાધનો વસાવવામાં આવ્યા છે જેથી જટિલમાં જટિલ કેસમાં મોતનું સાચું કારણ જાણી શકાય.


પોસ્ટ મોર્ટમ આ કારણે કરવામાં આવે છે
પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ એ મૃત્યુના કારણને જાણવા માટે કરાતી એ જરુરી કાર્યવાહી છે. પોસ્ટ એટલે બાદમાં અને મોર્ટમ આમ મૃત્યુ બાદ મોતમાં કારણને જાણવા માટે પીએમ કરવામાં આવે છે. ખાસ કરીને અકસ્માત, શંકાસ્પદ મોત કે હત્યા આત્મહત્યા જેવા સહિતની ઘટનાઓમાં થતા મૃત્યુને લઈ લાશનુ પીએમ કરીને મોતનું કારણ જાણવામાં આવે છે. આ માટે મૃત્યુ બાદ નિષ્ણાત ફોરેન્સિક ડોક્ટરો દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application