મૃત વ્યક્તિને હયાત બતાવી મિલકત પચાવી પાડવાનો કારસો

  • April 06, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદમાં રહેતા વૃધ્ધના પિતા અને ફઇ કે જેઓ મૃ્ત્યુ પામ્યા હોય તેમની માલિકની રાજકોટમાં ખત્રીવાડમાં આવેલી મિલકત આ બંનેને હયાત બતાવી બે શખસોએ પોતાના નામે કરી લીધી હતી.જેથી આ અંગે વૃધ્ધ દ્વાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે આરોપીઓ સામે છેતરપિંડી,બોગસ દસ્તાવેજ બનાવવા અને ગુનાહિત કાવતરૂ રચવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

અમદાવાદના વટવા રોડ ઉપર વ્રજવઘન કો.ઓ.હા. સોસાયટીમાં રહેતાં અને નિવૃત્ત જીવન પસાર કરનાર મનસુખલાલ બળવંતરાય મેર (ઉ.વ. 73)ના દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંદીપ લક્ષ્મણભાઈ ડાંગરીયા અને તેના ભાઈ જીજ્ઞેશ (રહે. બન્ને કિરણનગર સોસાયટી, હરીઘવા રોડ)ના નામ અપ્યા છે.

ફરિયાદી મનસુખભાઈએ પોલીસને જણાવ્યું કે,તેના પિતા બળવંતરાય અને ફઈ સરસ્વતીબેનની માલિકીની મિલ્કત રાજકોટના ખત્રીવાડ કરશનદાસ માંડવીયાની શેરી ખાતે આવેલી છે.તેના ફઇનું 1993માં અને પિતાનું 2010માં મૃત્યુ નિપજ્યું હતું.2020ની સાલમાં કોરોના કાળમાં તે રાજકોટ આવ્યા હતા.તેના પિતાની આ મિલ્કતની વારસાઈ કાર્યવાહી કરવાની હોવાથી સીટી સર્વે ઓફિસે વારસાઈ નોંધ કરાવવા જતાં આ બન્ને સર્વે નં.65 ની 13.35 અને 70ની 39.15 મળી કુલ 52.68 ચો.મી. સહિતની મિલકતમાં બન્ને આરોપીની એન્ટ્રી હોવાનું જાણવા મળતાં તપાસ કરતાં દસ્તાવેજ થયાંનું જાણવા મળ્યું હતું.
દસ્તાવેજની નકલ મેળવી જોતાં બન્ને આરોપીએ તેના મૃતક પિતા અને ફઈને હયાત બતાવી ખોટા દસ્તાવેજ કરાવી લીધાનું ખુલતાફરિયાદ નોંધાવી હતી.જેનાં આધારે એ ડિવિઝન પોલીસના પીઆઇ આર.જી.બારોટે કલમ 420, 467, 468, 471,120બી, 114,34 મુજબ બન્ને આરોપી સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application