પુનિતનગરમાં લોકોની બેસવાની સુવિધા માટે રખાયેલા ચાર સરકારી બાંકડાઓ તોડી નાખવાનું કારસ્તાન

  • September 09, 2024 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસે અજાણ્યા શખ્સો સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ગુનો નોંધ્યો: ભાંગફોડીયા તત્વોની શોધખોળ


જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં લોકોની સુવિધા માટે મૂકવામાં આવેલા ચાર બાંકડાઓ, કે જેને તોડી નાખી કોઈ ભાંગફોડીયાઓએ નુકસાન પહોંચાડ્યું હતું. આથી આ મામલો પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો.


ઉપરોક્ત વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મીમેન ચંદ્રસિંહ દેવીસિંહ જાડેજાએ સરકારી મિલકતમાં તોડફોડ કરી રૂપિયા ૧૦,૦૦૦ નું નુકસાન પહોંચાડવા અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સિટી બી. ડિવિઝન પોલીસે ભાંગફોડિયા તત્વોની શોધ ખોળ હાથ ધરી છે. જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા ની ગ્રાન્ટમાંથી ઉપરોક્ત સરકારી બાંકડાઓ મૂકવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application