રાજકોટના શહેરીજનો માટે હરવા ફરવાનું નવું સ્થળ એવું અટલ સરોવર આવતીકાલે તા.1 ઓગસ્ટથી ફરી ખુલું મુકાશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે પરંતુ એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સ બંધ રહેશે. વિશેષમાં આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ રાજકોટના શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના નાગરિકો નવું નજરાણું અટલ સરોવરની મુલાકાત લઇ અભિભૂત થાય તે હેતુસર અટલ સરોવર મુલાકાતીઓ માટે હરવા ફરવા તેમજ નિહાળવા માટે આવતીકાલ તા.1-8-2024 ને ગુરૂવારથી ફરી ખુલું મુકવા નિર્ણય કરાયો છે. અલબત્ત અટલ સરોવરમાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ્સ બંધ જ રહેશે.
અટલ સરોવરના લોકાર્પણ બાદ સરોવરની મુલાકાતે નાગરિકોનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળ્યો હતો પરંતુ, શહેરમાં નાના મવા રોડ પાસે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર મુલાકાતીઓ મુલાકાત માટે સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય કરાયો હતો. રાજકોટના નવા નજરાણા સમું અટલ સરોવર નિહાળવા માટે પદાધિકારીઓએ શહેરીજનોને અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રથમવાર 6 મહિલાઓએ સાથે કરી સ્પેસની સફર, હોલીવુડ સિંગર કેટી પેરી પણ હતી સામેલ
April 14, 2025 08:07 PMગુજરાત બોર્ડ ધોરણ 10-12ના પરિણામ આવશે વહેલા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી
April 14, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech