રાજકોટના શહેરીજનો માટે હરવા ફરવાનું નવું સ્થળ એવું અટલ સરોવર આવતીકાલે તા.1 ઓગસ્ટથી ફરી ખુલું મુકાશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે પરંતુ એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સ બંધ રહેશે. વિશેષમાં આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ રાજકોટના શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના નાગરિકો નવું નજરાણું અટલ સરોવરની મુલાકાત લઇ અભિભૂત થાય તે હેતુસર અટલ સરોવર મુલાકાતીઓ માટે હરવા ફરવા તેમજ નિહાળવા માટે આવતીકાલ તા.1-8-2024 ને ગુરૂવારથી ફરી ખુલું મુકવા નિર્ણય કરાયો છે. અલબત્ત અટલ સરોવરમાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ્સ બંધ જ રહેશે.
અટલ સરોવરના લોકાર્પણ બાદ સરોવરની મુલાકાતે નાગરિકોનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળ્યો હતો પરંતુ, શહેરમાં નાના મવા રોડ પાસે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર મુલાકાતીઓ મુલાકાત માટે સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય કરાયો હતો. રાજકોટના નવા નજરાણા સમું અટલ સરોવર નિહાળવા માટે પદાધિકારીઓએ શહેરીજનોને અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાત્રિ દરમિયાન સિંહ સહિત આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, આર્થિક બાબતોમાં રહેવું સાવધાન
October 05, 2024 09:28 AMછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech