અટલ સરોવર કાલથી ફરી ખુલશે; લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે, રાઇડ્સ બંધ રહેશે

  • July 31, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના શહેરીજનો માટે હરવા ફરવાનું નવું સ્થળ એવું અટલ સરોવર આવતીકાલે તા.1 ઓગસ્ટથી ફરી ખુલું મુકાશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે પરંતુ એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સ બંધ રહેશે. વિશેષમાં આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ રાજકોટના શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના નાગરિકો નવું નજરાણું અટલ સરોવરની મુલાકાત લઇ અભિભૂત થાય તે હેતુસર અટલ સરોવર મુલાકાતીઓ માટે હરવા ફરવા તેમજ નિહાળવા માટે આવતીકાલ તા.1-8-2024 ને ગુરૂવારથી ફરી ખુલું મુકવા નિર્ણય કરાયો છે. અલબત્ત અટલ સરોવરમાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ્સ બંધ જ રહેશે.
અટલ સરોવરના લોકાર્પણ બાદ સરોવરની મુલાકાતે નાગરિકોનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળ્યો હતો પરંતુ, શહેરમાં નાના મવા રોડ પાસે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર મુલાકાતીઓ મુલાકાત માટે સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય કરાયો હતો. રાજકોટના નવા નજરાણા સમું અટલ સરોવર નિહાળવા માટે પદાધિકારીઓએ શહેરીજનોને અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application