જામજોધપુરના ભૂપત આંબરડી ગામમાં ત્રણ વર્ષ પહેલાં વીજ કંપનીએ ચેકીંગ કરી એક આસામીને નજીકના થાંભલેથી લંગર નાખી વીજચોરી કરતાં પકડી પાડ્યા હતા. જે નોંધાયેલો ફોજદારી ગુન્હો ચાલી જતાં અદાલતે આ આરોપીને તક્સીરવાન ઠરાવ્યા પછી સીધી સજાના બદલે એક વર્ષના પ્રોબેશન પર સારી ચાલ ચલગતના રૂ ૨૫ હજારના જામીન તેમજ જાત મુચરકા આપવાનો હુકમ કરવા ઉપરાંત દંડ ની રૂ. ૧ લાખ ઉપરાંતની રકમ ત્રણ ગણી ચૂકવી આપવા અથવા છ મહિનાની કેદ ભોગવવા હુકમ કર્યાે છે.
જામજોધપુર તાલુકાના ભૂપત આંબરડી ગામમાં રહેતા ગજેન્દ્રસિંહ ઉદેસિંહ જાડેજા નામના આસામીને ત્યાં ગઈ તા.૫-૧-૨૧ના વીજ કંપનીના સ્ટાફે ચેકીંગ કરતા આ આસામી પોતે વીજ મીટર ધરાવતા હોવા છતાં ઘર પાસે આવેલા થાંભલામાંથી સર્વિસ વાયર મેળવી વીજચોરી કરતા હોવાનું જણાઈ આવતા આ આસામીને રૂ. ૧,૦૮,૫૮૪ નું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું અને તેની સામે ફોજદારી ફરિયાદ કરાઈ હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ગજેન્દ્રસિંહ જાડેજાને વીજ અધિનિયમની કલમ હેઠળ તક્સીરવાન ઠરાવ્યા પછી તે ગુન્હાની સીધી સજા ન કરી હતી પરંતુ એક વર્ષના પ્રોબેશન પર સારી ચાલ ચલગતના રૂ૨૫ હજારના જામીન તથા જાતમુચરકા રજૂ કરવાનો હુકમ કર્યાે છે. તે ઉપરાંત વીજચોરીના બીલની ત્રણ ગણી રકમ ૩૦ દિવસમાં દંડ પેટે જમા કરાવવા અન્યથા છ મહિનાની કેદ ભોગવવા આદેશ કરવામાં આવ્યો છે. સરકાર તરફથી પબ્લિક પ્રોસીક્યુટર પિયુષ પરમાર રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech