ખંભાળિયામાં શુક્રવારે દત્તાણી પરિવારનો અષ્ટમીનો હવન

  • October 07, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમૂહપ્રસાદ, દર્શન  સહિતના આયોજનો



ખંભાળિયામાં બિરાજતા દત્તાણી કુટુંબના કુળદેવી શ્રી રૂડીલાખી માતાજીના આસો નવરાત્રીના હવનનું આયોજન આગામી શુક્રવાર તારીખ 11 મી ના રોજ કરવામાં આવ્યું છે.


દર વર્ષની જેમ યોજવામાં આવેલા આ હવનમાં બપોરે સવા વાગ્યે બીડું હોમાયા બાદ સર્વે દત્તાણી કુટુંબીજનોના સમૂહ પ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ માટે ખંભાળિયાના મૂળ વતની અને હાલ જામનગરના શ્રી જયંતીલાલ કાનજીભાઈ દત્તાણી પરિવારના જગદીશભાઈ (રિલાયન્સ) તેમજ વિપુલભાઈ (સી.એ.) આ હવનના મુખ્ય યજમાન પદે ઉપસ્થિત રહેશે.

નવરાત્રી પર્વ નિમિત્તે પૂજ્ય શ્રી રૂડીલાખી માતાજીના મંદિરે દરરોજ સાંજે આરતી તેમજ દીપમાળાના દર્શનનું પણ આયોજન થઈ રહ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા સર્વે દત્તાણી કુટુંબીજનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application