રામકથા પ્રારંભ પૂર્વે સણોસરા લોકભારતીમાં મોરારિબાપુનું આગમન

  • December 30, 2023 05:44 PM 

લોકભારતી સણોસરાનાં આંગણે આજથી પ્રારંભ થનાર રામકથા ગાન માટે મોરારિબાપુ આગલા દિવસે પહોંચી ગયા હતા.જ્યાં મોરારિબાપુએ પોથીજીને સંસ્થાના મોભી અરુણભાઈ દવેના માથે મૂકી હતી. આ સાથે જ મનોરથી હર્ષાબા ગોહિલ સાથે વિદ્યાથીઓ, કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો અને ભાવિકો પણ હરખભેર પહોંચ્યા હતા.

અહી મોરારિબાપુના હૈયાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરારિબાપુએ પણ ટુંકમાં પ્રાસંગિક વાત કરી આ કેળવણીના તીર્થસ્થાન મહાત્મ્ય અને સંસ્થાના પૂર્વસુરીઓ નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી સાથે મૂળશંકર ભટ્ટ તથા નટવરલાલ બુચનું સ્મરણ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application