બંને પક્ષે હુમલામાં ૪-૪ વ્યક્તિ ઘાયલ: સામ સામે ફરીયાદ
ધ્રોલમાં દેવીપુજક તેમજ સતવારા પરિવાર વચ્ચે ઘેટા બકરા ચરાવવાના પ્રશ્ને તકરાર થઈ હતી, અને સામસામે ધીંગાણું ખેલાયું હતું. જે હુમલામાં બંને પક્ષે ચાર-ચાર વ્યક્તિઓ ઘાયલ થઈ છે, જે મામલે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.
ધ્રોલમાં દેવીપુજક વાસમાં રહેતા અને ખેતીવાડી તેમજ બકરા ચરાવતા સંજય રાયધનભાઈ વાઘેલા નામના ૨૦ વર્ષના દેવીપુજક યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મોટા બાપુ નાનજીભાઈ, પોતાના ભાઈ હરજીભાઈ, ઉપરાંત અન્ય પરિવારના સભ્ય દિનેશ ઉપર ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે ધ્રોલમાં જ રહેતા હિતેશ પરસોતમભાઈ નકુમ, અશ્વિન રઘુભાઈ કણજારીયા, પરસોત્તમભાઈ અરજણભાઈ નકુમ, તેમજ જયંતીલાલ લાલજીભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદી સીમમાં બકરા ચરાવવા ગયેલ હોય બકરા ખેતરમાં જતા રહેતા સામે વાળા સાથે બોલાચાલી થતા હુમલો કરાયો હતો.
જયારે સામા પક્ષે હિતેશ પરસોત્તમભાઈ નકુમએ પોતાની વાડીમાં બકરા ચરાવવાના પ્રશ્ને ધોકા પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી પોતાના પિતા પરસોતમભાઈ, ઉપરાંત જેન્તીભાઈ અને અશ્વિનભાઈ પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સંજય રાયધનભાઈ વાઘેલા, નાનજીભાઈ સવશીભાઈ વાઘેલા, કેશાભાઈ નાનજીભાઈ વાઘેલા, રાજુભાઈ વાઘેલા, દિનેશ વીરજીભાઈ વાઘેલા, હરજીભાઈ નાનજીભાઈ વાઘેલા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે. ધ્રોલ પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદો નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ફરીયાદી હિતેશભાઇએ જીરાનું વાવેતર કરેલ હોય અને સામેવાળા વાડીમાં બકરા ચરાવતો હોય જેથી ત્યાથી જતા રહેવાનું કહેતા સામેવાળાઓએ ઉશ્કેરાઇને હુમલો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ભાજપની ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો
May 15, 2025 11:20 AMશિકારીવૃતિના હિંસક કૂતરાં હવે પાળી શકાશે નહીં: અમદાવાદની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત
May 15, 2025 11:09 AMમોરબીના શનાળા ગામ નજીક આઠ માળનું ગેરકાયદે બિલ્ડિંગ સીલ કરાયું
May 15, 2025 11:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech