ગુનેગારોને કડક સજા કરવા આરબ જમાતની માંગ

  • December 05, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના મહારાજા સોસાયટીમાં રહેતા અબ્દુલ કાદીર આરબ નામના તરુણે અસામાજીક તત્વો અને ખંડણીખોરોના ત્રાસના કારણે ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, દરમ્યાનમાં જામનગરના જમાતુલ અરબ દ્વારા આજરોજ જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં અમુક અસામાજીક તત્વો અને ખંડણીખોરોના ત્રાસના કારણે તરુણે આપઘાત કરેલ છે આથી કિશોરને ન્યાય અપાવવા તથા ગુનેગારોને કડક સજા કરવા માંગણી કરી છે, મૃતકના અવસાન પહેલા તેની મારપીટ કરતી વિડીયો કિલપ બનાવી તેને બ્લેકમેલ અને ટોર્ચર કરતા હતા, ખંડણી આપ નહીતર વિડીયો વાયરલ કરી દેશું એવી ધમકી દેતા તરુણ હેબતાઇ ગયો હતો અને આત્મઘાતી પગલું ભરી લીધુ હતું. આરોપીઓને કડક સજા કરવાની માંગ સાથે આવેદન અપાયુ હતું, આ વેળાએ હાજી અલીભાઇ, હાજી યુસુફભાઇ અલ્ફાન, હાજી ઇબ્રાહીમભાઇ, હાજી ઇબ્રાહીમભાઇ બાજીયાત વિગેરે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application