પોરબંદરમાં મહેસુલી કર્મચારીઓ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદન

  • April 10, 2025 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લાના મહેસુલી કર્મચારીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી પ્રશ્ર્નનું નિરાકરણ કરવા માંગ કરી હતી. ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળની તાકીદની  કારોબારી બેઠક ગીર સોમનાથ ખાતે મળી હતી. જેમાં મહેસુલી કર્મચારીને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી તેનું નિવારણ લાવવા માટે સરકાર સમક્ષ માંગણી મુકી આગામી સમયમાં વર્ષ ૨૦૧૨ ના નાયબ મામલતદારોની સીનીઓરિટી યાદી ડીમેડ ડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા,
જિલ્લા ફેર બદલીની જેટલી રજુઆતો વિભાગ ખાતે હાલ પડતર છે,તેનો તાત્કાલિક નિર્ણય કરવો અને હવેથી નવી જિલ્લા ફેરબદલીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્ટમનો ઉપયોગ કરી કલેક્ટરની એન.ઓ.સી. મેળવવાની પ્રથા બંદ કરી પારદર્શક રીતે અરજીઓનો તે જ વર્તમાન વર્ષમાં  નિકાલ કરવાની પ્રથા અમલમાં મુકવી,વર્ષ-૨૦૧૫ ના તમામ ક્લાર્ક સવર્ગના  કર્મચારીઓને પ્રમોશન આપવા,હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારોની માંગણી કે મંજુરી વગર જિલ્લા ફેર બદલી કરેલ છે તે તમામ હુકમો રદ કરવા જેવા મુદ્દાઓ પ્રત્યે તબક્કાવાર કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા છે.
આ અંગે પ્રથમ તમામ જિલ્લામાં  કલેકટરને આવેદન આપશે.ત્યારબાદ જો દસ  દિવસમાં માંગણીઓ પુર્ણ કરવામાં નહી આવે તો ત્યારબાદ ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ તમામ જિલ્લામાં કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરવી,માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમો તબક્કાવાર આપશે તેવુ બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application