જામનગરમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતીના મામલે કલેકટરને આવેદન પત્ર

  • March 04, 2025 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પ્રાથમિક થી લઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષકોને ભરતીમાં વધુ જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


શિક્ષણ સહાયક - વિદ્યા સહાયક તરીકે શિક્ષણ વિભાગમાં ભરતી થવા માટે છેલ્લા કેટલાય સમયથી પ્રક્રિયા અનુસરી રહેલા શિક્ષકોએ હાલ તાજેતરમાં જ બઢતી અને જુના શિક્ષકોના બદલી બાદ ખાલી પડેલી જગ્યાઓને લઈને વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરી છે. 


શિક્ષણનું સ્તર સુધરે તે માટે કાયમી શિક્ષકો અત્યંત જરૂરી છે તેવા સમયે વિલંબમાં અટવાયેલી ભરતી પ્રક્રિયા ઝડપી અને વધુ શિક્ષકોને આવરી લેવામાં આવે તેવી લાગણી સાથે સરકારમાં માંગણી કરતું આવેદનપત્ર કલેકટર કચેરીએ પાઠવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application