ખંભાળિયામાં રહેતો જાગૃતીબેન નામની એક યુવતીના લગ્ન રાજકોટ ખાતે રહેતા ચિરાગ કિશોરભાઈ સાથે થયા હતા. લગ્ન બાદ જાગૃતીબેન પોતાની મરજીથી પોતાના માવતરે આવી ગયા હતા અને ત્યાર બાદ સાસરીયાઓ સામે ખંભાળિયાની અદાલતમાં તેણીના પતિ તેમજ અન્ય પરિવારજનો સાથે ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ મળવાના કાયદા હેઠળ અરજી કરવામાં આવી હતી. આ અરજી અહીંના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (શ્રી શુક્લા મેડમ) સાહેબની કોર્ટમાં ચાલી જતા સામાવાળાઓના પુરાવાઓ તેમજ તેમના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઇ અને અરજદારની અરજી મંજુર કરી હતી.
આ પ્રકરણમાં અરજદાર મહિલાની અગાઉની ભરણપોષણ મળવાની અરજી તથા સાસરિયાઓ સામે કરવામાં આવેલી સ્ત્રી અત્યાચારની ફરિયાદમાં આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ઉપરાંત ભરણપોષણની અરજી પણ નામદાર કોર્ટે નામંજૂર કરી હતી. આ બંને કેસમાં સામાવાળા તથા આરોપીઓ તરફે એડવોકેટ કે.પી. પરમાર તેમજ એન.એ. મુન્દ્રા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરંગમતી નદીને ફરી રાજાશાહી કાળમાં લઇ જવાનો માસ્ટર પ્લાન
May 15, 2025 11:30 AMજામનગર: 1 કરોડ 81 લાખના છેતરપિંડીના કેસમાં બેન્ક એકાઉન્ટ પુરા પાડનાર આરોપી પકડાયો
May 15, 2025 11:29 AMજામનગર: નજીવે બાબતે બબાલ થતાં યુવકને ચાલુ ટ્રેન ફેંકી દીધો, બે આરોપી પકડાયા
May 15, 2025 11:26 AMજામનગરમાં ભાજપની ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો
May 15, 2025 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech