લોકસભાની રાજકોટ બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પુષોત્તમ પાલાના ઉમેદવારી પત્ર અને તેમાં રજૂ કરાયેલી વિગતો સામે અપક્ષ ઉમેદવાર અમરદાસ બી. દેસાણીએ ૩૨ વાંધાઓ ઉઠાવ્યા હતા જોકે તેમાંથી એક પણ વાંધો માન્ય રાખવામાં આવ્યો નથી અને પાલાનું ફોર્મ ચકાસણી દરમિયાન મંજૂર રાખવામાં આવ્યું છે.
વાંધો ઉઠાવનાર અમરદાસ દેસાણીએ જણાવ્યું છે કે ચૂંટણી પંચની સૂચના મુજબ ઉમેદવારે જે સોગંદનામુ રજૂ કરવાનું હોય છે તે . ૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર કરવાનું હોય છે. પાલા એ માત્ર ૫૦ પિયાનો સ્ટેમ્પ વાપર્યેા છે.ચૂંટણી પંચની સૂચનાનો ભગ કર્યેા છે અને આમ છતાં તેનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે.
બેંકમાં મૂકવામાં આવેલી થાપણ સંબંધી જે વિગતો દર્શાવવાની હોય છે તેમાં પણ પાલાએ અધૂરી વિગત આપી હોવાનો આક્ષેપ અપક્ષ ઉમેદવાર દેસાણીએ કર્યેા છે. તેમના જણાવ્યા મુજબ થાપણ કયારે મૂકી કેટલી રકમની મૂકી અને પાકતી મુદત કઈ છે ત્યારે કેટલા પિયા મળશે તેવી કોઈ વિગત પાલાએ દર્શાવી નથી.
દેસાણીએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોષી સમક્ષ એવી દલીલ કરી હતી કે જો તમને એવું લાગતું હોય તો અત્યારે પારાનું ફોર્મ હોલ્ડ પર રાખો અને કાયદાકીય પરિસ્થિતિ સ્પષ્ટ્ર થયા પછી તે મંજૂર– મંજૂર કરવાનો નિર્ણય લો, પરંતુ કલેકટરે આ વાત પણ માન્ય રાખી નથી અને એમ જણાવ્યું હતું કે તમે જે લેખિતમાં વાંધા લીધા છે તે તમામનો હત્પં લેખિતમાં તમને જવાબ આપીશ.
કલેકટરના લેખિત જવાબની રાહ જોઈને દેસાણી સહિતના આઠ અપક્ષ ઉમેદવારો કલેકટર કચેરીના વેઇટિંગ મમાં બપોરે બારથી દોઢ વાગ્યા સુધી બેઠા હતા. પરંતુ કલેકટર મિટિંગમાં વ્યસ્ત હોવાથી મળી શકયા ન હતા. બાદમાં આ તમામ અપક્ષ ઉમેદવારો સર્કિટ હાઉસમાં આવેલા જનરલ ઓબ્ઝર્વર દેથા સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMજામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ સંકુલ ખાતે સ્વિમિંગ પૂલનું નિરીક્ષણ કરતા મેયર સહિતના પદાધિકારીઓ
April 25, 2025 12:14 PMજામનગરમાંથી પકડાયો ઊંટગાડીની રેસનો જુગાર
April 25, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech