ભગવાન ગણપતિને વિનાયક, લંબોદર, વિઘ્નહર્તા અને અન્ય ઘણા નામોથી બોલાવવામાં આવે છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશને સમર્પિત ગણેશ ચતુર્થીના તહેવારને ભારતના ઘણા ભાગોમાં ધામધૂમથી અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તૈયારી અગાઉથી શરૂ થાય છે. લોકો તેમના ઘરો અને આસપાસના વિસ્તારો અને બાપ્પાની મૂર્તિની સ્થાપના અને પૂજા સ્થળને ખૂબ જ સુંદર રીતે શણગારે છે.
ભક્તો તેમના ઘર અથવા પંડાલમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે. પરિવારના તમામ સભ્યો અને પડોશના લોકો સાથે મળીને બાપ્પાના પૂજા સ્થાન પર પૂજા અને ભજન-કીર્તન કરે છે. તેમજ ફળો, ડ્રાય ફ્રુટ, સ્વાદિષ્ટ વાનગીઓ અને વિવિધ પ્રકારની મીઠાઈઓ બાપ્પાને અર્પણ કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી દરમિયાન ઘરોમાં ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે. ભોગ ચઢાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભોગ સાદો, શુદ્ધ અને ભગવાનને મનપસંદ વસ્તુઓનો બનેલો હોવો જોઈએ.
માન્યતાઓ અનુસાર ભગવાન ગણેશને મોદક અને લાડુ ખૂબ જ પ્રિય છે. એટલે લોકો ભગવાનને આ મીઠાઈઓ ચઢાવે છે પરંતુ તેની સાથે બાપ્પાને મલાઈ પેંડા પણ ચઢાવી શકો છો. તેને ઘરે જ બનાવી શકાય છે. જાણો તેને બનાવવાની રીત:
સામગ્રી
1 કપ માવો , 1/2 કપ ખાંડ, 1/4 કપ દૂધ, 2 ચમચી ઘી, 1/4 ટીસ્પૂન એલચી પાવડર અને સમારેલા કાજુ, બદામ અથવા પિસ્તા
તેને બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરો. આ પછી તેમાં માવો ઉમેરીને ધીમી આંચ પર આછા સોનેરી થાય ત્યાં સુધી તળો. જ્યારે તેનો રંગ આછો સોનેરી થવા લાગે ત્યારે તેમાં દૂધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ પછી તેમાં ખાંડ નાખીને સતત હલાવતા રહો. આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો પછી તેમાં એલચી પાવડર ઉમેરો. હવે આ મિશ્રણને ઠંડુ થવા માટે રાખો. હવે એક ટ્રેમાં ઘી લગાવો અને આ મિશ્રણને તેમાં રાખો. આ પછી હાથ પર ઘી લગાવો અને આ મિશ્રણને પેડાનો આકાર આપો. તેને કોઈપણ આકારમાં બનાવી શકો છો. હવે આ પેંડાને કાજુ, બદામ કે પિસ્તા લગાવીને સજાવો. બસ, મલાઈ પેંડા તૈયાર.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોશિયલ મીડિયા અને OTT પર પોર્ન કન્ટેન્ટ બતાવી શકાશે નહીંઃ સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
April 28, 2025 02:55 PMભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો
April 28, 2025 02:47 PMકંઇક મોટું થવાનું છે... આર્મી ચીફને મળ્યા બાદ રાજનાથ સિંહની પીએમ મોદી સાથે મુલાકાત
April 28, 2025 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech