સમસ્યા એવી છે કે જેમાં ઉઠવું-બેસવુ તમામ વસ્તુઓ મુશ્કેલ બની જાય
એક્ટ્રેસ અને ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા એક એવી બીમારી સામે ઝઝૂમી રહી છે, જેને યોગ્ય રીતે ઠીક કરવી બધાનું કામ નથી. આ સમસ્યામાં તેનું ઉઠવું-બેસવુ તમામ વસ્તુઓ મુશ્કેલ થઇ જાય છે. તેને ખુબ જ તકલીફોનો સામનો કરવો પડે છે. આનાથી શરીરમાં ખુબ દુઃખાવો રહે છે. આ સમસ્યાનું નામ બલ્ઝિંગ ડિસ્ક છે. આ નર્વસ સિસ્ટમને કમજોર થવાથી થાય છે.
બલ્ઝિંગ ડિસ્ક શું છે
જે લોકો વધુ આરામદાયક જીવન જીવે છે તેઓમાં બલ્ઝિંગ ડિસ્કની સમસ્યા વધુ જોવા મળે છે. આ કરોડરજ્જુનો રોગ છે, જેના કારણે અન્ય અંગો પણ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. આમાં શરીરમાં એક વિચિત્ર પીડા અનુભવાય છે. સતત બેસીને કામ કરતા લોકોમાં પણ આ રોગ વધુ જોવા મળે છે.
બલ્ઝિંગ ડિસ્ક કેમ થઇ જાય છે
ખરેખરમાં, ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્ક વરટેબ્રાની વચ્ચે શૉક એબ્ઝૉવરની જેમ કામ કરે છે, પરંતુ બલ્ઝિંગ ડિસ્કમાં ઇન્ટરવર્ટેબ્રલ ડિસ્કની અંદરનો ભાગ ડિસ્કની બહાર નીકળવા લાગે છે. ડિસ્ક પર એક જાડુ લેયર હોય છે, જે સૉફ્ટ અને જેલથી ઘેરાયેલી રહે છે. બલ્ઝિંગ ડિસ્કના કારણે જ હાર્નિયેટેડ ડિસ્કની પણ સમસ્યા થઇ શકે છે. જ્યારે ફેલાવ કે ઉભાર આજુબાજુની નર્વ રૂટ્સ પર વધુ દબાણ નાંખવા લાગે છે, તો બલ્ઝિંગ ડિસ્કની સમસ્યા થવાની શરૂ થઇ જાય છે. આમાં રીઢની હડ્ડીથી લઇને નીચેના ભાગ કે શરીરના અન્ય ભાગોમાં દુઃખાવો વધવા લાગે છે.
આ લોકોને બલ્ઝિંગ ડિસ્કનો ખતરો
1. સૌથી આરામદાયક લાઇફસ્ટાઇલ જીવનારાઓને
2. વધુ પડતી ફિઝીયોથેરાપી કરાવવાથી
3. ખોટી રીતે લાંબા સમય સુધી બેસવાથી, રીડની હડ્ડી પર દબાણ પડવાથી આ સમસ્યા થઇ શકે છે
બલ્ઝિંગ ડિસ્કની અસર સૌથી વધુ ક્યાં પડે છે?
જ્યારે કોઈ વ્યક્તિ એક જગ્યાએ સતત બેસે છે, ત્યારે તેને મણકાની ડિસ્કની સમસ્યા થાય છે, કારણ કે તેના કારણે નર્વસ સિસ્ટમ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. તેની અસર ક્યાં સૌથી વધુ હશે તે હર્નિએટેડ ડિસ્ક પર આધારિત છે. જો હર્નિએટેડ ડિસ્ક પીઠના નીચેના ભાગમાં હોય તો જાંઘ અને હિપ્સમાં વધુ દુઃખાવો થઈ શકે છે અને જો હર્નિએટેડ ડિસ્ક ગરદનમાં હોય તો ખભા અને હાથમાં દુખાવો થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech