- જય શિવ શંભુના નારા લગાવતા કહ્યું - ભગવાનના આશીર્વાદ દરેક જગ્યાએ છે
- સોશિયલ મીડિયા પર વીડિયોને ટ્વિટર પર એક લાખથી વધુના વિવ્યૂઝ મળ્યા
બોલીવૂડનો પીઢ અભિનેતા અનુપમ ખેર હાલ થાઈલેન્ડના બેંગકોકમાં છે. તેણે ટ્વિટર પર ચાહકો સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની મૂર્તિ થાઈલેન્ડના હાઈવે પર જોવા મળે છે. અનુપમ ખેર આ જોઈને ચોંકી ગયો. વીડિયો શેર કરતી વખતે તેણે 'જય શિવ શંભુ'ના નારા લગાવ્યા અને કહ્યું કે ભગવાનના આશીર્વાદ દરેક જગ્યાએ છે.
અનુપમ ખેરે શેર કરેલો વીડિયો 1 મિનિટ લાંબો છે. જેમાં તે ખૂબ જ વ્યસ્ત હાઇવેની બાજુમાં ઊભો છે, જ્યારે રસ્તાની બીજી બાજુએ ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની મૂર્તિઓ છે. વીડિયોમાં અનુપમ ખેર કહે છે કે...
મિત્રો હું તમને ભારતના દેવી-દેવતાઓ, ભારતની પરંપરા, ભારતની સંસ્કૃતિનું વિશ્વમાં મહત્વ જણાવું છું. થાઇલેન્ડમાં હાઇવે પર મેં શું જોયું તે જુઓ. અનુપમ ખેર કહે છે કે તે બેંગકોકથી 3 થી4 કલાકના અંતરે છે અને અહીં રોડ કિનારે ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની મૂર્તિઓ જોઈને અભિભૂત થઈ ગયો છે.
અનુપમ ખેર નારો લગાવતા કહે છે કે...
જય શિવ શંભુ. મિત્રો, આ ભારતની મહાનતા છે. આ આપણા દેવી-દેવતાઓની હાજરી છે, જેઓ માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશોને તેમના વરદાન અને આશીર્વાદ આપે છે. જય શિવ શંભુ. આ વીડિયો શેર કરતી વખતે અનુપમ ખેરે એક કેપ્શન પણ લખ્યું છે. તેઓ લખે છે, 'થાઈલેન્ડના વ્યસ્ત નેશનલ હાઈવે પર શિવજી મહારાજ, પાર્વતીજી અને ભગવાન ગણેશની વિશાળ મૂર્તિઓ જોવી એ એક અદ્ભુત અનુભૂતિ હતી! ભગવાનના આશીર્વાદ સર્વત્ર છે. કેટલીકવાર આપણે તેમને સામાન્ય આંખોથી જોઈ શકતા નથી! ભોલેનાથ. ભગવાન શિવની આરાધના.
અનુપમ ખેરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર આ વીડિયોને 1 લાખ 30 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે અભિનેતાના ચાહકોએ તેને ભગવાનના દર્શન કરાવવા બદલ તેમનો આભાર માન્યો છે, ત્યારે કોમેન્ટ વિભાગ પણ 'ઓમ નમઃ શિવાય' અને 'જય શ્રી રામ' લખનારા લોકોથી છલકાઈ ગયો છે. અનુપમ ખેરની છેલ્લી ફિલ્મ 'શિવ શાસ્ત્રી બાલ્બોઆ' હતી, જેમાં તે નીના ગુપ્તા સાથે જોવા મળ્યો હતો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech