રાજકોટમાં રૈયાધારમાં અસામાજિક તત્વો વેપારીઓ પાસે ઉઘરાવે છે પ્રોટેક્શન મની, તપાસ કરી કડક કાર્યવાહીનો આદેશ અપાશે, CPનું નિવેદન

  • May 26, 2023 12:52 PM 

રાજકોટમાં રૈયાધાર પર રાણીમાં રૂડીમાં રોડ પરનો બનાવ સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો વેપારીઓ પાસે પ્રોટેક્શન મની ઉઘરાવે છે. જો ન આપે તો વેપારીઓ અને સ્થાનિકો પર હુમલાઓ કરે છે. વેપારીઓ પોલીસમાં ફરિયાદ કરવા જાય તો સામી એટ્રોસીટી હેઠળ ફરિયાદ કરવામાં આવે છે. સીસીટીવીમાં રૂપિયા ઉઘરાવતો શખ્સ કેદ થયો છે. સમગ્ર બાબતે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ વેપારીની રજુઆત સાંભળી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરિયાદીઓ પાસે રૂપિયા માંગતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application