ઇન્ડસઇન્ડ બેંકમાં બેંકમાં આંતરિક ઓડિટ વિભાગની તપાસ દરમિયાન 595 કરોડની અનિયમિતતાઓ સામે આવી છે અને માઇક્રોફાઇનાન્સ ટ્રેડની તપાસ દરમિયાન સામે આવેલી સ્ફોટક વિગતોના પગલે બેન્કના શેર તૂટવાની સંભાવના નકારી શકાતી નથી.બેન્કે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે તેના નાણાકીય રેકોર્ડમાં 674 કરોડ રૂપિયા વ્યાજ તરીકે ખોટી રીતે નોંધાયા છે.
આ ભોપાળું ખુલ્યા પછી મુંબઈ સ્થિત ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંકના શેર પર દરેકની નજર રહેશે અને તેની અસર આજે ટ્રેડિંગ દરમિયાન દેખાશે તેવી શક્યતા નકારી શકાતી નથી .બેંકે ગુરુવારે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે તેના આંતરિક ઓડિટ વિભાગ દ્વારા માઇક્રોફાઇનાન્સ ટ્રેડની તપાસ દરમિયાન, નાણાકીય વર્ષ 2025 ના ત્રણ ક્વાર્ટરમાં ભૂલથી 674 કરોડ રૂપિયા વ્યાજ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ આ ભૂલ 10 જાન્યુઆરી, 2025 ના રોજ સુધારવામાં આવી હતી.૧૦ મેના રોજ, બેંકે સ્ટોક એક્સચેન્જને આ અંગે જાણ કર્યા પછી, તેના શેરમાં એક જ દિવસમાં ૨૭ ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો. નોંધનીય છે કે આ મામલો એવા સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયો વિવાદને કારણે બેંકના એમડી અને સીઈઓ સુમંત કઠપાલિયા અને ડેપ્યુટી સીઈઓ અરુણ ખુરાનાએ રાજીનામું આપ્યું હતું.આ સંદર્ભમાં મુખ્ય કર્મચારીઓની ભૂમિકાઓની પણ તપાસ કરવામાં આવી છે. બેંકે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં વ્હિસલબ્લોઅરની ફરિયાદ મળ્યા બાદ, બોર્ડની ઓડિટ સમિતિએ આંતરિક ઓડિટ વિભાગને 'અન્ય સંપત્તિઓ' અને 'અન્ય જવાબદારીઓ'માં નોંધાયેલા વ્યવહારોની સમીક્ષા કરવા કહ્યું હતું.
બેંકે જણાવ્યું હતું કે 'આંતરિક ઓડિટ વિભાગે 8 મે, 2025 ના રોજ તેનો અહેવાલ રજૂ કર્યો છે, જે મુજબ, બેંકના 'અન્ય સંપત્તિ' ખાતાઓમાં 595 કરોડ રૂપિયા સુધીની બિનદસ્તાવેજીકૃત રકમ હતી.
બેન્કના મુખ્ય કર્મચારીઓની ભૂમિકાની તપાસણી શરુ
જાન્યુઆરી, 2025 માં 'અન્ય જવાબદારીઓ' ખાતામાં દેખાતી સમાન રકમ સામે આ રકમને સમાયોજિત કરવામાં આવી હતી. ઇન્ડસઇન્ડ બેંકે જણાવ્યું હતું કે ઓડિટ વિભાગે આ સંદર્ભમાં મુખ્ય કર્મચારીઓની ભૂમિકાઓ અને કાર્યોની પણ તપાસ કરી છે. અગાઉ 22 એપ્રિલના રોજ, બેંકે કહ્યું હતું કે ખાતાઓને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયાના ભાગ રૂપે, બેંકનો ઓડિટ વિભાગ ચોક્કસ ચિંતાઓની તપાસ કરવા માટે બેંકના એમએફઆઈ વ્યવસાયની સમીક્ષા કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech