શહેરના ઓમનગરથી બસ સ્ટેશન જવા નીકળેલા પ્રૌઢ દંપતીને રિક્ષામાં બેસાડી રિક્ષા ગેંગે રૂ.12 હજારની મત્તા સાથેનું પર્સ સેરવી લીધું હતું.આ બનાવ અંગે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ ગુનામાં બે શખ્સોને પકડી પૂછપરછ કરતા વધુ પાંચ ચોરીનો ભેદ ખુલ્યા છે.
જામનગરના સરદારપાર્કમાં રહેતા મધુબેન પ્રેમજીભાઈ સંઘાણીએ પર્સ ચોરી અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મધુબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેના પતિ પ્રેમજીભાઈ ઓમનગર સર્કલ પાસેની પૂનમ સોસાયટીમાં રહેતા તેમના પુત્ર દીપકભાઈના ઘરે આવ્યા હતા અને ત્યાં રોકાયા બાદ ગત તા.4ના જામનગર જવા માટે પતિ-પત્ની બંને ઓમનગર સર્કલ આવ્યા હતા. ત્યાંથી એક રિક્ષામાં બેસી બસ સ્ટેશન જવા રવાના થયા હતા.બાદમાં તેમને રસ્તામાં જ ઉતારી દીધા હતાં. દરમિયાન પ્રેમજીભાઈએ તપાસ કરતી તો તેમના ખિસ્સામાંથી પર્સ ગાયબ હતું.આ અંગે માલવીયાનગરમાં ફરિયાદ નોંધાઇ હતી.
બનાવને લઇ માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઈ,એમ.ડી.ગઢવી, પી.એસ.આઇ ડી.એસ.ગજેરા, જયદેવસિંહ પરમાર અને હિરેનભાઈ પરમાર સહિતના સ્ટાફે બાતમીને આધારે મવડી ચોકડી પાસેથી બેલડીને ઝડપી લીધી હતી. જેમાં મૂળ ઢાંઢણી ગામનો અને હાલ કોઠારીયા રોડ પર રાધા કૃષ્ણનગરમાં રહેતા હાર્દિક કાનાભાઈ જાદવ અને તેમના સાગરીત કુબલીયાપરામાં રહેતો ચેતન પ્રવીણભાઈ રાઠોડ હોવાનું માલુમ પડયું હતું.
પોલીસે બેલડી પાસેથી રોકડા રૂપિયા 12000 એક મોબાઈલ અને રીક્ષા સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. બંનેની પુછપરછમાં તેઓએ છેલ્લા ચારેક દિવસમાં રેલવે જંકશન,રેસકોર્સ, હોસ્પિટલ ચોક,સાધુવાસવાણી રોડ અને કાંતા સ્ત્રી વિકાસ સ્કૂલ પાસેથી મુસાફર બેસાડી ચોરીને અંજામ આપ્યો હતો.ચોરીની રકમ મામુલી હોય જેથી કોઈ ભોગ બનનારે ફરિયાદ નોંધાવી ન હોવાનું માલુમ પડયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMમુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગતા, એક જ પરિવારના 7 લોકોના મોત
October 06, 2024 10:41 AMમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech