સલાયાનું વધુ એક વહાણ યમનના મકલા પોર્ટમાં સળગ્યું

  • December 26, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયાના વધુ એક વહાણમાં યમનમાં આગ લાગી હતી અને વહાણ ભસ્મીભૂત થયું હતું, મળતી માહિતી મુજબ સોમવારે સવારના સમયે યમનના મકલા પોર્ટમાં એક માલ ભરેલ વહાણ સળગ્યું હતું, જેમાં અકસ્માતે વહાણમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. સુલતાને મદીના નામના વહાણમાં યમનના મકલા પોર્ટમાં માલ ભરેલ હતું, ત્યારે અકસ્માતે આગ લાગી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. તેમાં રહેલ ખલાસીઓનો બચાવ થયો હતો, પરંતુ વહાણ બળી ગયું હતું, આ વહાણ સુંભનીયા રોશનબેન યાસીનની માલિકીનું હોવાનું જણાતા આવેલ છે. આમ સલાયામાં આ વર્ષ વહાણવટી ભાઇઓ માટે નિરાશાજનક રહ્યું છે. છેલ્લા બે મહિનામાં વહાણ સળગવના અને ડૂબવાના ઘણા બનાવી બનતા વહાણવટી ભાઇઓને ભારે નુકશાની વેઠવી પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application