આરટીઈ પ્રવેશ માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા ૧.૨૦ લાખથી વધારી ૬ લાખ કરવા તૈયારી

  • March 13, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરીબ વર્ગના બાળકોને સારૂ  શિક્ષણ મળી રહે તે માટે આરટીઇ હેઠળ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે રાય સરકાર દ્રારા અત્યાર સુધીની જે આવક મર્યાદા છે તે વધારીને ૬ લાખ સુધીની કરવા મન બનાવી લીધું હોવાના સંકેત મળી રહ્યા છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ હાલમાં રાઇટ ટુ એયુકેશનના કાયદા હેઠળ જે પરિવારની આવક પિયા ૧.૨૦ લાખ સુધીની હોય તેઓને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે.હવે
આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા પિયા ૬ લાખ સુધીની કરવામાં આવે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રા કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રા કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો આરટીઈ હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.
 દરેકને શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ નો ઉદ્દેશ ૬ થી ૧૪ વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ આપવાનો છે. ૬ થી ૧૪ વર્ષની વય જૂથના દરેક બાળકની ફરજિયાત નોંધણી, હાજરી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવું.કલમ ૬ હેઠળ, બાળકોને રહેઠાણ નજીક ની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે નબળા વર્ગેા અને વંચિત જૂથોના બાળકો સાથે ભેદભાવ ન કરી શકાય. જો એવું બાળક હોય કે જે ૬ વર્ષની ઉંમરે કોઈપણ શાળામાં એડમિશન ન લઈ શકયું હોય તો તે તેની ઉંમર પ્રમાણે પછીથી કલાસમાં એડમિશન લઈ શકે છે.જો કોઈપણ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની જોગવાઈ ન હોય તો, વિધાર્થીને અન્ય કોઈપણ શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવશે.
ગઈકાલે વિધાનસભા બાદ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આ અંગેના સંકેત આપ્યા હતા.આરટીઈ હેઠળ એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ અને શહેરી વિસ્તારમાં ૧.૫૦ લાખની આવક મર્યાદા છે. હાલમાં ગુજરાત આરટીઈ વર્ષ ૨૦૨૫–૨૬ એડમિશન ચાલુ છે, જેમાં એ બાળકની ઉંમર ૩થી ૬ વર્ષની છે એને બીપીએલ કેટેગરીમાં આવે છે. તેઓ અરજી કરી શકે છે.
અન્ય બધી બાબતમાં ૬ લાખની આવક મર્યાદા આપી રહ્યા છીએ. આવકના સુધારા માટે થોડો સમય આપીએ જેથી વધારાની આવકવાળા પણ તેનો લાભ લઈ શકે. અંદાજે ૧૦ દિવસનો વધારાનો સમય આપવાની વિચારણા છે. ઘણા લોકોએ આવકના દાખલા કઢાવી લીધા છે. જે લોકોની વધુ આવક છે તેઓને પણ ફોર્મ ભરવાનો ચાન્સ મળે તે માટે સમય વધારવાની પણ વિચારણા છે. આ અંગે એક બે દિવસમાં જાહેરાત કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application